Birbhum Violence: બીરભૂમ હત્યાકાંડ એક મોટું કાવતરું, બંગાળને બદનામ કરવામાં આવી રહ્યું છે: મમતા બેનર્જી

|

Mar 27, 2022 | 4:46 PM

તેમણે કહ્યું કે તેમની સરકાર સીબીઆઈ તપાસનું સ્વાગત કરે છે, પરંતુ જો સીબીઆઈ ભાજપ અને સીપીએમના ઈશારે કામ કરશે તો તેની સામે આંદોલન થશે.

Birbhum Violence: બીરભૂમ હત્યાકાંડ એક મોટું કાવતરું, બંગાળને બદનામ કરવામાં આવી રહ્યું છે: મમતા બેનર્જી
Mamata Banerjee In Silliguri

Follow us on

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ (Mamata Banerjee) બીરભૂમ હિંસા (Birbhum Violence) અંગે મોટું નિવેદન આપ્યું છે. ઉત્તર બંગાળના પ્રવાસ દરમિયાન સિલીગુડીમાં એક સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે બીરભૂમની ઘટના દુઃખદ છે. રાજ્ય સરકારે કાર્યવાહી હાથ ધરી છે. OC અને SDPOને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ જે રીતે આ ઘટનાને વિસ્તૃત કરવામાં આવી રહી છે તે જોતા લાગે છે કે બંગાળને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવું લાગે છે કે આ હત્યાકાંડ એક મોટું ષડયંત્ર હતું, જેથી કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ, દવાના ભાવ વધારાનો વિરોધ ન થાય. લોકોનું ધ્યાન હટાવવા માટે આ કામ કરવામાં આવી રહ્યું છે.

તેમણે કહ્યું કે તેમની સરકાર સીબીઆઈ તપાસનું સ્વાગત કરે છે, પરંતુ જો સીબીઆઈ ભાજપ અને સીપીએમના ઈશારે કામ કરશે તો તેની સામે આંદોલન થશે. મમતા બેનર્જીએ કહ્યું કે તેને ગમે તેટલા અપશબ્દો કહેવામાં આવે, પરંતુ જો બંગાળને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો તે તેનો જવાબ આપશે.

આગમાં ઘી રેડવામાં આવી રહ્યું છે

મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે કેટલાક લોકો આગમાં ઘી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે જે વ્યક્તિની હત્યા કરવામાં આવી છે, તે પણ ટીએમસીનો હતો અને જેણે હત્યા કરી છે તે પણ ટીએમસીનો છે. જે ઘરમાં આગ લાગી હતી, તે પણ ટીએમસી નેતાનું હતું. હત્યા બાદ પોલીસના OC અને SDPOને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તૃણમૂલ બ્લોક અધ્યક્ષની ધરપકડ કરવામાં આવી છે. 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પીડિતોને આર્થિક મદદ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ઉન્નાવ અને લખીમપુર કેસમાં સીબીઆઈ તપાસ કેમ ન થઈ?

મમતા બેનર્જીએ કહ્યું કે ઉન્નાવમાં એક છોકરી જુબાની આપીને જતી રહી હતી. લઘુમતી મહિલાને સળગાવી દેવામાં આવી હતી. લખીમપુરમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા. મંત્રીના પુત્રએ વાહન ચલાવીને હત્યા કરી. આસામ અને દિલ્હીમાં NCR અને NPR દરમિયાન કેટલા લોકોના મોત થયા? કર્ણાટકમાં જે ઘટના બની, શું તે ઘટનાઓની સીબીઆઈ તપાસ થઈ છે?

તેમણે કહ્યું કે બીરભૂમની ઘટના એક મોટું ષડયંત્ર છે. આ ઘટનાની તપાસ થવી જોઈએ. સીબીઆઈ તપાસનો આદેશ આપીને સારું કર્યું. રાજ્ય સરકાર સીબીઆઈને સહકાર આપશે, પરંતુ જો સીબીઆઈ ભાજપ અને સીપીએમના ઈશારે કામ કરશે તો તેની સામે આંદોલન થશે.

આ પણ વાંચો : શિવસેનાના નેતાના ઘરે પાડેલા દરોડામાં, IT ના અધિકારીને મળી ડાયરી, ‘માતોશ્રી’ને 2 કરોડ રોકડા અને 50 લાખની ઘડિયાળ આપવાનો ઉલ્લેખ

આ પણ વાંચો : મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને 1 વર્ષની સજા, 11 વર્ષ જૂના કેસમાં ઈન્દોર કોર્ટેનો આદેશ

Published On - 4:44 pm, Sun, 27 March 22

Next Article