વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા સુઘીની રો પેક્સ ફેરી સર્વિસનુ ઈ લોકાર્પણ કર્યુ. રો પેક્સ ફેરી સર્વિસ સુરત અને સૌરાષ્ટ્રના લોકોના જીવનને બદલી નાખનાર સાબિત થશે તેવો વિશ્વાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો હતો.
વોટર ટ્રાન્સપોર્ટ ટુરીઝમના વિકાસને વેગ મળશે તેમ કહીને વડાપ્રધાને કહ્યું કે, વોટર લોજીસ્ટીકથી સમય, ખર્ચ અને ઈંધણની ભારે બચત થાય છે. ભારતમાં હવે આ ક્ષેત્રે માલ સામાનની હેરફેર ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે. દિવાળીના તહેવારમાં થતી ખરીદીમાં વોકલ ફોર લોકલનુ ખાસ ધ્યાન રાખીને ભારતીય ચીજવસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવાની અપીલ કરી હતી.
વર્ષે દહાદે સૌરાષ્ટ્રથી સુરત તરફ જતી આવતી 80 હજાર કાર અને 30 હજાર ટ્ર્કની સંખ્યા ઘટશે. તેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યાં પહેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રાંસગિક સંબોધન કર્યું હતું. ભાવનગર, અમરેલી સહીત સૌરાષ્ટ્રથી સુરત કે દક્ષિણ ગુજરાત તરફ અવર જવર કરતા ભારે વાહનો અને રોજગારી અર્થે ગયેલા લોકોએ રો પેક્સ ફેરી સર્વિસથી થનારા ફાયદાઓ વર્ણાવ્યા હતા.
PM @narendramodi to inaugurate Ro-Pax service between Hazira-Ghogha in #Gujarat #ropaxferry #TV9News pic.twitter.com/5IaAuPEPsu
— tv9gujarati (@tv9gujarati) November 8, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો