વિરેન્દ્ર સેહવાગની પત્નીને તેમના જ બિઝનેસ પાર્ટનર્સે લગાવ્યો ચુનો, 4.5 કરોડ રૂપિયાની કરી છેતરપિંડી

|

Jul 13, 2019 | 7:04 AM

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને ઓપનિંગ બેટસમેન વીરેન્દ્ર સેહવાગની પત્ની આરતી છેતરપિંડીનો શિકાર બની ગઈ છે. આરતીએ તેમના બિઝનેસ પાર્ટનર્સની વિરૂદ્ધ EOW સેલમાં ફરિયાદ દાખલ કરાવી છે. આરતીના બિઝનેસ પાર્ટનર્સે તેમની ખોટી સહી કરીને 4.5 કરોડ રૂપિયાની લોન લીધી અને પછી ચૂકવણી પણ કરી નથી. આરતીએ આરોપ લગાવ્યો છે કે તે રોહિત કક્કર નામના વ્યક્તિની […]

વિરેન્દ્ર સેહવાગની પત્નીને તેમના જ બિઝનેસ પાર્ટનર્સે લગાવ્યો ચુનો, 4.5 કરોડ રૂપિયાની કરી છેતરપિંડી

Follow us on

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને ઓપનિંગ બેટસમેન વીરેન્દ્ર સેહવાગની પત્ની આરતી છેતરપિંડીનો શિકાર બની ગઈ છે. આરતીએ તેમના બિઝનેસ પાર્ટનર્સની વિરૂદ્ધ EOW સેલમાં ફરિયાદ દાખલ કરાવી છે. આરતીના બિઝનેસ પાર્ટનર્સે તેમની ખોટી સહી કરીને 4.5 કરોડ રૂપિયાની લોન લીધી અને પછી ચૂકવણી પણ કરી નથી.

આરતીએ આરોપ લગાવ્યો છે કે તે રોહિત કક્કર નામના વ્યક્તિની ફર્મમાં પાર્ટનર બની હતી. આ ફર્મ દિલ્હીના અશોક વિહાર ફર્મમાં સ્થિત છે. આરતીએ તેમની ફરિયાદમાં કહ્યું કે રોહિત સહિત લગભગ 6 અન્ય લોકોએ તેમની સાથે છેતરપિંડી કરી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ ફર્મના લોકોએ આરતીની જાણકારી વગર એક બીજી કંપનીને જણાવ્યું કે તેમના ફર્મની સાથે વીરેન્દ્ર સેહવાગ જેવા જાણીતા ક્રિકેટરની પત્ની જોડાયેલી છે. આરતીના આરોપ મુજબ પતિ વીરેન્દ્ર સેહવાગના નામનો ઉપયોગ કરીને રોહિત કક્કર સહિત બીજા પાર્ટનર્સે બીજા ફર્મથી લગભગ 4.5 કરોડ રૂપિયાની લોન લીધી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જે લોન લેવા માટે આરતીની ખોટી સહીઓ પણ કરી દીધી. જ્યારે પાર્ટનર બન્યા તે દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું કે તેમની પરવાનગી વગર કોઈ કામ કરવામાં આવે નહી. હાલમાં આરતીની ફરિયાદ પર દિલ્હી પોલીસની EOW સેલે આરોપીઓની વિરૂદ્ધ 420ની કલમ હેઠળ કેસ દાખલ કરીને કેસની તપાસ શરૂ કરી દીધી છે.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:12 am, Sat, 13 July 19

Next Article