Gujarati NewsNationalVada pradhan na haste uttarpradesh ma aagra metro pariyojna nu vertual udghtan 29kilomitarna daayra ma metro rail service madva laagshe
વડાપ્રધાન મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં આગ્રા મેટ્રો પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું.વડાપ્રધાને વર્ચુઅલ માધ્યમથી આ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું. બે કૉરિડોરવાળા આ પ્રોજેક્ટ થકી પર્યટકોને મદદ મળશે. આ પરિયોજના થકી ટૂરિસ્ટ સ્પોટ જેવા કે તાજમહેલ, આગરા કિલ્લો, સિકંદરાને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સાથે જોડવામાં આવશે. PM મોદીએ જણાવ્યું કે, આ પરિયોજનાથી આગરામાં લોકોના જીવનમાં વધારે ઉપલબ્ધતા આવશે અને […]
Follow us on
વડાપ્રધાન મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં આગ્રા મેટ્રો પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું.વડાપ્રધાને વર્ચુઅલ માધ્યમથી આ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું. બે કૉરિડોરવાળા આ પ્રોજેક્ટ થકી પર્યટકોને મદદ મળશે. આ પરિયોજના થકી ટૂરિસ્ટ સ્પોટ જેવા કે તાજમહેલ, આગરા કિલ્લો, સિકંદરાને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સાથે જોડવામાં આવશે. PM મોદીએ જણાવ્યું કે, આ પરિયોજનાથી આગરામાં લોકોના જીવનમાં વધારે ઉપલબ્ધતા આવશે અને પર્યટનની દ્રષ્ટિએ પણ આગરાને લાભ થશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રી હરદીપસિંહ પુરી અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા. મહત્વનું છે કે આ પરિયોજનાથી આગ્રામાં લગભગ 29 કિલોમીટરના દાયરામાં મેટ્રો રેલની સેવા મળવા લાગશે.