યુપીના વારાણસી (Varanasi) જિલ્લામાં જ્ઞાનવાપી મસ્જિદના સર્વેક્ષણના (Gyanvapi Masjid Survey) ત્રીજા દિવસે હિન્દુ પક્ષ તરફથી શિવલિંગનો દાવો કરવામાં આવ્યો છે. જે બાદ વારાણસી કોર્ટે તે જગ્યાને સીલ કરવાનો આદેશ આપ્યો જ્યાંથી શિવલિંગ મળી આવ્યું હતું. વારાણસી કોર્ટ અનુસાર, હિન્દુ પક્ષે દાવો કર્યો છે કે 16 મેના રોજ મસ્જિદ પરિસરમાંથી શિવલિંગ મળી આવ્યું છે. હિન્દુ પક્ષે કહ્યું કે આ ખૂબ જ મહત્વપૂર્ણ પુરાવો છે, તેથી CRPF કમાન્ડન્ટને ત્યાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવો જોઈએ. જ્ઞાનવાપી મસ્જિદમાં માત્ર 20 મુસ્લિમોને જ નમાઝ પઢવાની છૂટ આપવી જોઈએ.
હિંદુ પક્ષના વકીલ હરિશંકર જૈને કોર્ટમાં અરજી કરી હતી કે વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટને શિવલિંગને મળવાના સ્થળે મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવામાં આવે. હિન્દુ પક્ષના વકીલે એમ પણ કહ્યું કે જે જગ્યા પર શિવલિંગ જોવા મળે છે ત્યાં તેનું જતન કરવું ખૂબ જ જરૂરી છે. હિંદુ પક્ષની વિનંતી પર, કોર્ટે અરજી સ્વીકારતા, આદેશ આપ્યો કે જે જગ્યાએ શિવલિંગ પ્રાપ્ત થયું છે, વારાણસીના ડીએમએ તે સ્થાનને તાત્કાલિક અસરથી સીલ કરવું જોઈએ અને કોઈપણ વ્યક્તિને સીલ કરેલી જગ્યાએ પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
આ સાથે કોર્ટે વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશનર અને સીઆરપીએફના કમાન્ડન્ટને સીલ કરવામાં આવેલી જગ્યાની સુરક્ષા અને સલામતી માટે વ્યવસ્થા કરવા આદેશ જાહેર કર્યો છે. આ અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી રહેશે.
આજે ત્રીજા દિવસે જ્ઞાનવાપી મસ્જિદમાં પણ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વે બાદ પરિસરમાંથી બહાર આવેલા હિન્દુ પક્ષના વકીલે મોટો દાવો કર્યો છે. હિન્દુ પક્ષના વકીલે જણાવ્યું કે સર્વે દરમિયાન કુવામાંથી શિવલિંગ મળી આવ્યું હતું. જે બાદ હવે તે શિવલિંગની રક્ષા લેવા સિવિલ કોર્ટમાં જઈ રહ્યા છે. જે બાદ સર્વે ટીમમાં સામેલ હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈને તરત વારાણસી કોર્ટમાં અરજી કરી હતી.
જેમાં કોર્ટને કહેવામાં આવ્યું કે ત્યાં શિવલિંગ મળી આવ્યું છે. આ સાથે સીઆરપીએફ કમાન્ડન્ટને જગ્યા સીલ કરવાનો આદેશ આપવાની માગ કરવામાં આવી હતી. જે બાદ સિનિયર ડિવિઝન જજ રવિ કુમાર દિવાકરે તરત જ ડીએમને જગ્યા સીલ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે પોલીસ કમિશનર અને CRPF કમાન્ડન્ટને વ્યક્તિગત રીતે સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી હતી.
Published On - 3:15 pm, Mon, 16 May 22