Narendra Giri Death Case: મહંત નરેન્દ્ર ગિરીના મોતનું કારણ આશ્રમની મિલકત છે ? આ પહેલા પણ બે મહંતોના થયા છે શંકાસ્પદ મોત !

|

Sep 21, 2021 | 2:35 PM

મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુને બાઘંબરી ગાદી મઠ (Baghmbri Gaddi Math) અને નિરંજની અખાડાની અપાર સંપત્તિ અને વૈભવ સાથે પણ જોડી દેવામાં આવી રહ્યું છે.

Narendra Giri Death Case: મહંત નરેન્દ્ર ગિરીના મોતનું કારણ આશ્રમની મિલકત છે ? આ પહેલા પણ બે મહંતોના થયા છે શંકાસ્પદ મોત !
Narendra Giri Death Case

Follow us on

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ અને નિરંજન અખાડાના સચિવ મહંત નરેન્દ્ર ગિરીની કથિત આત્મહત્યા (Narendra Giri Suicide case) અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુને બાઘંબરી ગાદી મઠ (Baghmbri Gaddi Math) અને નિરંજની અખાડાની અપાર સંપત્તિ અને વૈભવ સાથે પણ જોડી દેવામાં આવી રહ્યું છે.

બાઘંબરી ગાદી મઠ અને નિરંજની અખાડા સાથે સંકળાયેલા લોકો પણ હત્યાનો ભય વ્યક્ત કરી રહ્યા છે. બાઘંબરી ગાદી મઠ અને નિરંજની અખાડાની અપાર સંપત્તિને લગતા વિવાદોનો સંબંધ જૂનો છે. મીડિયામાં આવેલા તમામ અહેવાલો અનુસાર, મહંત નરેન્દ્ર ગિરી અને તેમના નજીકના શિષ્ય અખાડા પરિષદના પ્રમુખ આનંદ ગિરી વચ્ચે મઠ અને અખાડાની અનેક વિઘા જમીન વેચવા બાબતે વિવાદ થયો છે.

મિલકતને લઈને બે મહંતોના શંકાસ્પદ મોત

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રિપોર્ટ અનુસાર, નિરંજની અખાડાના આશ્રમમાં બે મહંતોના શંકાસ્પદ મોત થયા છે. હવે નરેન્દ્ર ગિરીના મોતને લઈને મિલકત વિવાદના પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે. અખાડા પરિષદના પ્રમુખ અને બાઘંબરી ગાદી મઠના મહંત નરેન્દ્ર ગિરી વચ્ચે તેમના શિષ્ય યોગ ગુરુ આનંદ ગિરી સાથે ગયા મહિને 80 ફૂટ પહોળી અને 120 ફૂટ લાંબી ગૌશાળાની લીઝ રદ થયા બાદ વિવાદ થયો હતો. આનંદ ગિરીના નામે લીઝ પર આપવામાં આવેલી આ જમીન પર પેટ્રોલ પંપ પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. થોડા દિવસો બાદ મહંત નરેન્દ્ર ગિરીએ પેટ્રોલ પંપ ત્યાં ચાલી નહીં શકે એમ કહીને લીઝ રદ કરાવી.

મહંત બાઘંબરી ગાદી મઠની જમીન પર બજાર સ્થાપવા માંગતા હતા

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે મહંત નરેન્દ્ર ગિરી બાઘંબરી ગાદી મઠની જમીન પર બજાર સ્થાપવા માંગતા હતા, તેમનું માનવું હતું કે તેનાથી આશ્રમની આવકમાં વધારો થશે. જ્યારે આનંદ ગિરીએ કહ્યું કે ગુરુજીએ તે જમીન વેચવા માટે લીઝ રદ કરી હતી. બાઘંબરી ગાદી મઠની કરોડો રૂપિયાની કિંમતની આ જમીનને લઈને ગુરુ અને શિષ્ય વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે આનંદ ગિરીને નિરંજની અખાડા અને બાઘંબરી મઠમાંથી હાંકી કાઢવામાં આવ્યા. ત્યારબાદ આનંદ ગિરીએ હરિદ્વારમાં આશરો લીધો.

મઠની 40 કરોડની જમીન પર પણ વિવાદ થયો

હરિદ્વારમાં આનંદ ગિરી દ્વારા બનાવવામાં આવી રહેલા આશ્રમને થોડા સમય પહેલા સીલ કરવામાં આવ્યો છે. આ પહેલા પણ 40 કરોડની કિંમતના બાઘંબરી ગાદી મઠની સાત વિઘા જમીન વેચવા અંગે વિવાદ થયો છે. નિરંજની અખાડાની કરોડોની જમીન વેચવા બાબતે માંડા અને રાયબરેલીમાં પણ વિવાદ થયો છે.

 

આ પણ વાંચો : Narendra Giri Death Case: આનંદગીરી બાદ બડે હનુમાન મંદિરનાં પુજારી અને તેના દિકરાની ધરપકડ, CBI તપાસની માગ ઉઠી

આ પણ વાંચો : Surgical Strike વર્ષગાંઠ પહેલા એલઓસી પર શંકાસ્પદ પ્રવૃત્તિઓ, સર્ચ ઓપરેશન શરૂ, ઉરીમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા સ્થગિત

Published On - 2:34 pm, Tue, 21 September 21

Next Article