ઉત્તરપ્રદેશ: CM યોગી આદિત્યનાથ થયા આઈસોલેટ, CM ઓફિસના ઘણા અધિકારીઓ કોરોના પોઝિટીવ

|

Apr 13, 2021 | 9:53 PM

ઉત્તરપ્રદેશમાં ઝડપથી કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. જે હવે મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી ચૂક્યૂ છે. મુખ્યમંત્રી કાર્યાલયના ઘણા અધિકારી કોરોનાથી સંક્રમતિ થયા છે.

ઉત્તરપ્રદેશ: CM યોગી આદિત્યનાથ થયા આઈસોલેટ, CM ઓફિસના ઘણા અધિકારીઓ કોરોના પોઝિટીવ
CM Yogi Adityanath (File Image)

Follow us on

ઉત્તરપ્રદેશમાં ઝડપથી કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. જે હવે મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી ચૂક્યૂ છે. મુખ્યમંત્રી કાર્યાલયના ઘણા અધિકારી કોરોનાથી સંક્રમતિ થયા છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પોતાને આઈસોલેટ કરી લીધા છે. તેમને ટ્વીટ કરી કહ્યું ‘મારા કાર્યાલયના ઘણા અધિકારી કોરોનાથી સંક્રમિત થયા છે. આ અધિકારી મારા સંપર્કમાં રહ્યા છે, જેથી સાવચેતીના ભાગરૂપે હું આઈસોલેટ થઈ રહ્યું છે અને તમામ કામ વર્ચ્યુલી રીતે કરીશ’.

 

 

તમને જણાવી દઈએ કે દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. વધતા કોરોના વાઈરસને લઈ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ધર્મગુરૂઓની સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી, જેમાં તેમને કહ્યું હતું કે આપણે ખુબ સતર્કતાની જરૂરિયાત છે, આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિ અને આવતીકાલથી રમજાન શરૂ થઈ રહ્યા છે. હું તમામ ધર્મગુરૂઓને નિવેદન કરું છે કે શ્રદ્ધાળુઓને આવેદન કરે કે કોરોનાની ગાઈડલાઈનનું કડક રીતે પાલન કરે.

 

ઉત્તરપ્રદેશમાં કોરોનાના કેસ 7 લાખને પાર

છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 18,021 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સંક્રમિતોની કુલ સંખ્યા 7,10,036 થઈ ગઈ છે. કોરોનાથી 24 કલાકમાં 3,474 લોકો સાજા થયા છે. તેની સાથે જ કોરોનાને માત આપનારા દર્દીઓની સંખ્યા 6,15,096 થઈ ગઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 84 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ 9,236 લોકોના કોરોનાથી મોત થયા છે, ત્યારે હાલમાં 95,980 એક્ટિવ કેસ છે.

 

આ પણ વાંચો: MAHARASHTRA : મહારાષ્ટ્રમાં આગામી 15 દિવસ લાગુ રહેશે કડક પ્રતિબંધો, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત

Next Article