ઉત્તરપ્રદેશમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષની સરાજાહેર હત્યા કરાઈ છે. ઉત્તરપ્રદેશના લખનઉના હજરતગંજમાં રણજીત બચ્ચનની હત્યા કરવામાં આવી છે. રણજીત બચ્ચન મોર્નિંગ વૉક પર નીકળ્યા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમને માથા પર એકથી વધારે ગોળી મારીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે તેમની સાથે રહેલા તેમના ભાઈને પણ ગોળી વાગતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમગ્ર ઘટના ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના હજરતગંજમાં બની છે. જે અતિ વ્યસ્ત વિસ્તાર ગણવામાં આવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: જૂનાગઢ મગફળી કૌભાંડ મુદ્દે ગુજરાત સરકાર જવાબદાર, પાલ આંબલીયાનો આક્ષેપ