ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમની VIP સુરક્ષાથી 50 સુરક્ષાકર્મી હટાવશે

|

Aug 18, 2019 | 2:55 AM

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહી ચૂકેલા અને હાલમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમની VIP સુરક્ષામાં 50 સુરક્ષાકર્મીઓને હટાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યપાલ આનંદીબેન પટેલનું માનવું છે કે આ બધા જ સુરક્ષાકર્મીઓને લોકોની સેવા કરવી જોઈએ. ત્યારે આનંદીબેન પટેલે લીધેલા આ પગલાની સરાહના થઈ રહી છે. VIP કલ્ચરને ખત્મ કરવાની દિશામાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મજબૂત […]

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમની VIP સુરક્ષાથી 50 સુરક્ષાકર્મી હટાવશે

Follow us on

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહી ચૂકેલા અને હાલમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમની VIP સુરક્ષામાં 50 સુરક્ષાકર્મીઓને હટાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યપાલ આનંદીબેન પટેલનું માનવું છે કે આ બધા જ સુરક્ષાકર્મીઓને લોકોની સેવા કરવી જોઈએ. ત્યારે આનંદીબેન પટેલે લીધેલા આ પગલાની સરાહના થઈ રહી છે.

VIP કલ્ચરને ખત્મ કરવાની દિશામાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મજબૂત પગલુ ભર્યુ છે. રાજ્યપાલે તેમની સુરક્ષામાં લાગેલા 50 સુરક્ષાકર્મીઓને ઓછા કરવાનો નિર્ણય કર્યો છે. તેમને તમામ સુરક્ષાકર્મીઓને રાજ્ય સરકારને પાછા મોકલવા માટે કહ્યું છે. તેમનું કહેવું છે કે આ તમામ સુરક્ષાકર્મીઓને સામાન્ય નાગરિકની સેવા કરવી જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 20 જુલાઈએ મોટો ફેરફાર કરતા આનંદીબેન પટેલની ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણુંક કરી હતી. ઉત્તરપ્રદેશ સિવાય પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મધ્યપ્રદેશ, બિહાર અને નાગાલેન્ડમાં પણ નવા રાજ્યપાલની નિમણુક કરવામાં આવી હતી. મધ્યપ્રદેશમાં આનંદીબેન પટેલની જગ્યાએ જગહલાલ જી ટંડનને ગર્વનર બનાવવામાં આવ્યા હતા, જે પહેલા બિહારના રાજ્યપાલ હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ બન્યા પછી આનંદીબેન પટેલ સતત જનહિતના પગલા ભરી રહ્યા છે. આ પહેલા તેમને સામાન્ય લોકો માટે રાજભવનના દ્વાર ખોલવાનો નિર્ણય લીધો હતો. હવે સામાન્ય નાગરિક તેમના પરિવારની સાથે રાજભવન જોવા આવી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અઠવાડિયામાં 2 દિવસ મંગળવાર અને ગુરૂવાર સાંજે 4થી 6 વાગ્યા સુધી રાજભવન સામાન્ય લોકો માટે ખુલ્લુ રહેશે. સ્કૂલ મેનેજમેન્ટ સ્ટૂડન્ટસની સાથે પહેલા જ સૂચના આપીને સોમવારથી શનિવાર સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી રાજભવન જોવા માટે આવી શકે છે. રાજભવન જોવા આવતા લોકો માટે તેમનું ઓળખપત્ર સાથે લાવવું જરૂરી છે.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article