ઉત્તરપ્રદેશમાં નાગરિકતા કાયદાના વિરોધમાં ભારે આગચંપી થઈ હતી. આ દરમિયાન અમુક જાહેર સંપત્તિને નુકસાન પણ પહોંચ્યું હતું. યોગી સરકારના પોલીસ વિભાગે આ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકોના ફોટાઓ જાહેરમાં લગાવ્યા હતા. જો કે હાઈકોર્ટે યોગી સરકારને ફટકાર લગાવી છે અને આ પોસ્ટર્સ હટાવી દેવા આદેશ આપ્યો છે. આ સિવાય પોલીસ કમિશનરને કોર્ટમાં સોગંદનામું રજૂ કરવા પણ કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : લખનઉ હિંસા : પોસ્ટર્સ મુદે અલ્હાબાદ હાઈકોર્ટેની સરકારને ફટકાર, જાણો શું કહ્યું?
જો કે હાઈકોર્ટના આ આદેશની સામે યોગી સરકાર ઝુકે તેવી સ્થિતિમાં નથી તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ મુદે યોગી સરકાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને હાઈકોર્ટના આદેશને પડકારી શકે છે. યોગી આદિત્યનાથે જાણકારી આપી છે કે હાઈકોર્ટના આદેશનું અઘ્યનન કરવામાં આવી રહ્યું છે. જો કે અંતિમ નિર્ણય યોગી સરકારના હાથમાં છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કોર્ટે સુનાવણી કરતાં કહ્યું હતું કે ક્યા કાયદા મુજબ આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા તેની જાણકારી આપવામાં આવે. જો કે યોગી સરકારના પ્રતિનિધિએ દલીલ કરતાં જણાવ્યું કે આ તમામ આરોપીઓને નોટિસ પાઠવવામાં આવી હતી અને તેઓએ હાજરી ન આપતા આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. કોર્ટે સખ્ત શબ્દોમાં કહીં દીધું કે આવી રીતે પોસ્ટર્સ લગાવવા તે પ્રાઈવસીનું ઉલ્લંઘન છે. આ પોસ્ટર્સ હટાવવા માટે આદેશ પણ કર્યો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]