ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સિંહ સેંગર સહિત 7 લોકોને 10 વર્ષની જેલ, 10-10 લાખ રૂપિયા દંડ

|

Mar 13, 2020 | 7:05 AM

ઉન્નાવ રેપ પીડિતાના પિતાનું કસ્ટડીમાં મોત થવાના મામલે તીસ હજારી કોર્ટે કુલદીપ સેંગર સહિત 7 લોકોને 10-10 વર્ષની જેલની સજા સંભળાવી છે. તે સિવાય સેંગર અને તેના ભાઈ પર કોર્ટે 10-10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ રકમ પીડિતાના પરિવારને આપવામાં આવશે. જસ્ટિસ ધર્મેશ શર્માએ સજા સંભળાવતા કહ્યું કે પીડિતાના પિતાનું મોત થયું, તેમનું […]

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સિંહ સેંગર સહિત 7 લોકોને 10 વર્ષની જેલ, 10-10 લાખ રૂપિયા દંડ

Follow us on

ઉન્નાવ રેપ પીડિતાના પિતાનું કસ્ટડીમાં મોત થવાના મામલે તીસ હજારી કોર્ટે કુલદીપ સેંગર સહિત 7 લોકોને 10-10 વર્ષની જેલની સજા સંભળાવી છે. તે સિવાય સેંગર અને તેના ભાઈ પર કોર્ટે 10-10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ રકમ પીડિતાના પરિવારને આપવામાં આવશે. જસ્ટિસ ધર્મેશ શર્માએ સજા સંભળાવતા કહ્યું કે પીડિતાના પિતાનું મોત થયું, તેમનું ઘર ખત્મ થઈ ગયું, હવે તે ક્યાંક નથી જઈ શકતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મામલાની 4 માર્ચ સુધી ચાલેલી સુનાવણીમાં તીસ હજારી કોર્ટે 11 આરોપીઓમાંથી ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સહિત 7 લોકોને દોષી ઠેરવ્યા હતા. જેમાં સબ ઈન્સ્પેક્ટર કામતા પ્રસાદ, SHO અશોક સિંહ ભદોરિયા, વિનીત મિશ્રા ઉર્ફે વિનય મિશ્રા, વીરેન્દ્ર સિંહ ઉર્ફે બઉવા સિંહ, શશિ પ્રતાપ સિંહ ઉર્ફે સુમન સિંહ અને જયદીપ સિંહ ઉર્ફે અતુલ સિંહ સામેલ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોર્ટે કુલદીપ સિંહ સેંગરને કલમ-304 અને 120 B હેઠળ દોષી માન્યા હતા. ત્યારે અમીર ખાન, શરદવીર સિંહ, રામ શરણસિંહ ઉર્ફે સોનુ સિંહ, શૈલેન્દ્રસિંહ ઉર્ફે ટીંકુ સિંહને પુરાવાના અભાવને કારણે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

9 એપ્રિલ 2018ના રોજ ઉન્નાવમાં પીડિતાના પિતાનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. પરિવારજનોએ કુલદીપ સિંહ સેંગર અને તેમના સાથીઓ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ પહેલા કોર્ટે સગીરના બળાત્કારના કેસમાં કુલદીપ સેંગરને ડિસેમ્બર 2019માં આજીવન કેદની સજા ફટકારી હતી.

આ પણ વાંચો: આણંદ APMCમાં પેડી(ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.2040, જાણો જુદા-જુદા પકોના ભાવ

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article