Uttar Pradesh News : ભદોહીના દુર્ગા પૂજા પંડાલમાં ભીષણ આગ, 2ના મોત, 35 કરતા વધારે લોકો દાઝી ગયા
ભદોહી જિલ્લાના (Bhadohi) ઔરાઈ કોતવાલી વિસ્તારમાં દુર્ગા પૂજા (Durga puja) પંડાલમાં આરતી દરમિયાન ભીષણ આગ લાગી હતી. આ દરમિયાન પંડાલમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આગને કારણે બે લોકોના મોત થયા હતા તેમજ લગભગ 35 લોકો દાઝી ગયા હતા.
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ભદોહી જિલ્લામાં (Bhadohi) રવિવારે રાત્રે એક દર્દનાક અકસ્માત (Accident) સર્જાયો હતો. ઔરાઈ કોતવાલી વિસ્તારમાં દુર્ગા પૂજા પંડાલમાં આરતી દરમિયાન ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. આ દરમિયાન પંડાલમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આગના કારણે 35 જેટલા લોકો દાઝી ગયા હતા. ત્યાં બે લોકોના મોત થયા હતા. ઉતાવળમાં લોકોએ પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડને (Fire Brigade) જાણ કરી. માહિતી પર પહોંચેલી પોલીસે ઘાયલોને નજીકના સીએચસીમાં દાખલ કર્યા, જ્યાંથી ગંભીર રીતે ઘાયલ લોકોને વારાણસી રિફર કરવામાં આવ્યા. ફાયર બ્રિગેડની ટીમે આગને કાબુમાં લીધી હતી.
ઔરાઈમાં, પૂજા પંડાલની આગના 19 સળગેલા પીડિતોને વારાણસી કમિશ્નરેટ પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર બનાવીને વારાણસીના BHU બર્ન સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. સીપીએ પોતે તેનું મોનિટરિંગ કર્યું હતું. તમામને બર્ન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, ઔરાઈ-ભદોહી રોડ પર સ્થિત એકતા ક્લબ દ્વારા નવરાત્રિમાં મા દુર્ગાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. એકતા ક્લબના પંડાલના આકર્ષણને કારણે અહીં નવરાત્રિ દરમિયાન ભક્તોની ભારે ભીડ જામે છે.
ઘાયલોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા
મા દુર્ગાની આરતીમાં હાજરી આપવા માટે રવિવારે રાત્રે આઠ વાગ્યે લગભગ દોઢસો લોકો પંડાલમાં પહોંચી ગયા હતા. ખબર નહીં આરતી સમયે પંડાલમાં આગ કેવી રીતે લાગી? થોડી જ વારમાં આગ આખા પંડાલને લપેટમાં લઈ લીધી. આગ જોતા જ પંડાલમાં નાસભાગ મચી ગઈ હતી. ભીડને કારણે કેટલાક લોકો અંદર ફસાઈ ગયા હતા અને આગમાં સળગી ગયા હતા.
#UttarPradesh#bhadohi#DurgaPuja#pujapandalfire उत्तर प्रदेश के भदोही में दुर्गा पूजा पंडाल में लगी भीषण आग, दो लोगों की मौत, दर्जन से ज्यादा घायल pic.twitter.com/zxd4bF8a3b
— Sweta Gupta (@swetaguptag) October 2, 2022
પંડાલમાંથી બહાર આવેલા લોકોએ પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ડીએમ-એસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, ઘાયલોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. પોલીસે ઝડપથી તમામને નજીકના સીએચસીમાં દાખલ કર્યા, જ્યાંથી ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને વારાણસી રિફર કરવામાં આવ્યા.
ડીએમ ગૌરાંગ રાઠીએ ઘટના અંગે આપી માહિતી
ઘટના અંગે માહિતી આપતા ડીએમ ગૌરાંગ રાઠીએ જણાવ્યું કે, આગ ક્યા કારણે લાગી તે હજુ સ્પષ્ટ નથી. કેટલાક લોકો આરતીથી આગ લાગવાની વાત કરી રહ્યા છે તો કેટલાક લોકો શોર્ટ સર્કિટ હોવાનું જણાવી રહ્યા છે. આગને કારણે લગભગ 35 લોકો દાઝી ગયા છે. બે લોકોના મોત થયા છે. ઘાયલોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. લગભગ 20 ઘાયલોને વારાણસી વચ્ચેના AU ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે. 15 લોકોને સીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.