કાશ્મિરના ત્રાલમાં એન્કાઉન્ટર, ધાર્મિક સ્થળે છુપાયેલા અંસાર ગજવત ઉલ હિંદના ચીફ ઈમ્તિયાજ સહીત બે માર્યા ગયા

|

Apr 09, 2021 | 1:12 PM

Tral Encounter : સુરક્ષા જવાનોની ગોળીઓથી બચવા માટે કાશ્મિરના આતંકવાદીઓ ધાર્મિક સ્થળમાં ભરાઈ જાય છે. અને જ્યારે સુરક્ષા બળ આવા આતંકવાદીઓને ગોતી ગોતીને સાફ કરે ત્યારે સ્થાનિક અલગાવવાદીઓ લોકોની ધાર્મિક ભાવનાને ભડકાવીને અશાંતિ ફેલાવે છે.

કાશ્મિરના ત્રાલમાં એન્કાઉન્ટર, ધાર્મિક સ્થળે છુપાયેલા અંસાર ગજવત ઉલ હિંદના ચીફ ઈમ્તિયાજ સહીત બે માર્યા ગયા
પ્રતિકાત્મક તસવીર

Follow us on

કાશ્મિરમાં સુરક્ષા બળને મોટી સફળતા સાંપડી છે. અવંતીપોરાના ત્રાલમાં આતંકીઓ (Tral Encounter) સાથે થયેલ જૂથ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જો કે જૂથ અથડામણમાં ત્રણ સૈન્ય જવાનો ઈજાગ્રસ્ત થયા તેમને સઘન સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યા ફરજ પરના તબીબે એક સૈન્ય જવાનની હાલત ગંભીર ગણાવી છે.

આતંકવાદીઓ એક ધાર્મિક સ્થળમાં છુપાઈ ગયા છે. જ્યાથી સુરક્ષા જવાનો ઉપર સતત ગોળીબાર કરી રહ્યાં છે. જો કે સુરક્ષાબળના જવાનોએ સમગ્ર વિસ્તારને ધેરી લીધો છે. અને ધાર્મિક સ્થળમાંથી ગોળી વરસાવી રહેલા આતંકીઓને શરણે આવવા માટે મોકો આપ્યો છે.

ગુપ્તચર એજન્સીઓએ ત્રાલના નૌબુગ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી આપી હતી. જેના આધારે કાશ્મિર પોલીસ અને સૈન્યે આ વિસ્તારમાં ઘેરો ઘાલ્યો છે. જો કે આતંકવાદીઓ એક ધાર્મિક સ્થળમાં છુપાઈ ગયા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સુરક્ષા જવાનોએ, સ્થાનિક લોકોની મદદથી ધાર્મિક સ્થળમાં ભરાઈ બેઠેલા આતંકવાદીઓને શરણે આવવા સમજાવી રહ્યાં છે. એક આતંકવાદીના ભાઈ અને સ્થાનિક ઈમામને ધાર્મિક સ્થળની અંદર આતંકવાદીઓને સમજાવવા મોકલ્યા છે. પરંતુ આતંકવાદીઓ શરણે આવવા માંગતા નથી.

આતંકવાદીઓએ ધાર્મિકસ્થળની અંદરથી જ સુરક્ષાબળના જવાનો ઉપર ગોળીઓ વરસાવી હતી. વળતા જવાબરૂપે સુરક્ષા બળોએ કરેલા ગોળીબારમાં બે આતંકવાદીઓ માર્યા ગયાની વાત સામે આવી છે. ધાર્મિક સ્થળની અંદર કેટલા આતંકવાદીઓ છે તેની જાણ નથી પણ આત્મસમર્પણ માટે અંદર ગયેલા આતંકવાદીના ભાઈ અને ઈમામને પુછપરછ કરવામાં આવી રહી છે.

આતંકવાદીઓએ ધાર્મિકસ્થળની અંદરથી એકાએક શરૂ કરેલા આડેઘડ ગોળીબારમાં ત્રણ સૈન્ય જવાનોને ઈજા પહોચી છે. જેમને સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જો કે આતંકવાદીઓને ઠાર મારવા સુરક્ષા જવાનોએ ઓપરેશન ચાલુ રાખ્યુ છે.

કાશ્મિરથી આધારભૂત સૂત્રના જણાવ્યાનુસાર, આજે જુમ્મા ( શુક્રવારે)ના દિવસે કાશ્મિરમાં બે અલગ અલગ જગ્યાએ સુરક્ષા બળોએ એન્કાઉન્ટર કર્યા હતા. જેમાં અન્સાર ગઝવાતુલ હિન્દ (Ansaar Gazwatul hind) નામના પ્રતિબંધિત સંગઠનના ટોચના આતંકીને ઠાર માર્યો છે. બે એન્કાઉન્ટરમાં કુલ સાત આતંકવાદીઓને મારી નાખ્યા છે. જો ત્રાલમાં આત્મ સમર્પણ કરવા માટે આતંદવાદીઓ તૈયાર નહી થાય તો અંદર છુપાઈને બેઠેલા આતંકવાદીઓનો સફાયો કરવા માટે સુરક્ષાબળ, ધાર્મિકસ્થળને ઉડાવી દેશે.

અવંતિપુરાના ત્રાલમાં સ્થાનિક લોકો ધાર્મિકસ્થળની અંદર છુપાઈને બેઠેલા આતંકવાદીઓને ધાર્મિક સ્થળ બચાવવા માટે સુરક્ષા બળની શરણે આવી જવા સમજાવી રહ્યાં છે.

 

Published On - 12:25 pm, Fri, 9 April 21

Next Article