ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના પલ્હલાન ચોક પર શંકાસ્પદ આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા. જે બાદ બે CRPF અર્ધલશ્કરી દળના જવાનો અને એક નાગરિક ઇજાગ્રસ્ત થયા હતા.
પોલીસ અધિકારીનું નિવેદન
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ CRPF પાર્ટી પર ગ્રેનેડ ફેંક્યો. આ ઘટનામાં સીઆરપીએફના બે જવાન અને એક નાગરિકને શ્રેપનલ લાગી હતી. આ તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દરમિયાન હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
વિસ્તારને કોર્ડન કરાયો
ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દરમિયાન હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. કમલ કોટ ઉરી વિસ્તારમાં સૈનિકોએ શંકાસ્પદ હિલચાલ જોયા બાદ ભારતીય સેનાએ ફાયરિંગ કર્યુ હતું. ભારતીય સેનાના જવાનોએ ઉરી સેક્ટરમાં પાકિસ્તાની સેના સમર્થિત આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે.
બે આતંકવાદીઓને ઠાર કર્યા
બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો સફાયો કરવાની કાર્યવાહી ચાલુ છે. તાજેતરમાં, શ્રીનગરના હૈદરપોરા વિસ્તારમાં સેના સાથેની અથડામણમાં 2 આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના એસઓજીએ ચોક્કસ માહિતીને આધારે હાઇપરપોરા નજીક રહેણાંક વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. અહીં બે આતંકવાદીઓ ફસાયા હોવાનું માનવામાં આવતું હતું, હવે બંનેને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે.
હાલમાં જ ગુપ્તચર એજન્સીઓએ ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં સામેલ પાકિસ્તાની આતંકવાદીઓની યાદી તૈયાર કરી છે. જે 38 આતંકવાદીઓની યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં 27 લશ્કરના અને બાકીના 11 જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા છે. સેના હવે તેમને શોધી તેમનો સફાયો કરવામાં લાગી ગઇ છે.
આ પણ વાંચોઃ મચ્છરોનું બ્રીડિંગ રોકવા માટે પહેલી વારનો ડ્રોનનો થશે ઉપયોગ, દિલ્હીમાં ડેન્ગ્યૂને કાબુમાં લેવા થશે પ્રયોગ
આ પણ વાંચોઃ JUNAGADH : ગિરનારની ગોદમાં લીલી પરિક્રમામાં 1 લાખથી વધુ ભાવિકો ઉમટયાં, ભાવિકો કેમ થયા નારાજ ?