ખેડૂત બનાવશે CNG ! જાણો ઉર્જાના આ સ્ત્રોત વિષે નિતિન ગડકરીએ શું કહ્યું, જુઓ Video

ગડકરીનું માનવું છે કે ઉર્જા અને ઉર્જા ક્ષેત્રોમાં કૃષિનું વૈવિધ્યકરણ એ દેશની જરૂરિયાત છે. તેમણે દેખીતી રીતે ઇથેનોલના ઉત્પાદનમાં વધારો કરવાની હિમાયત કરી હતી. ગડકરીએ તેમણે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)ને દરેક ગામમાં ઈથેનોલ પંપ ખોલવા કહ્યું છે કારણ કે ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઈથેનોલ પર સ્કૂટર પણ ચાલશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 9:48 PM

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા નિતિન ગડકરીએ Tv9 નેટવર્ક સાથે વાત કરતાં કહ્યું હતું કે જે શેરડી, મકાઈ, ચોખા અને ઘઉંમાંથી ઈથેનોલ બનાવવામાં આવે છે અને પેટ્રોલ સાથે 20 ટકા ઈથેનોલનું મિશ્રણ શરૂ થઈ ગયું છે. ગડકરીએ સ્પષ્ટતા કરી હતી કે ઇથેનોલથી પ્રદૂષણ નહીં થાય. તેમણે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)ને દરેક ગામમાં ઈથેનોલ પંપ ખોલવા કહ્યું છે કારણ કે ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઈથેનોલ પર સ્કૂટર પણ ચાલશે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી વિચારસરણી સાથે ખેડૂતો માત્ર અન્ન પ્રદાતા જ નહીં પરંતુ ઉર્જા પ્રદાતા પણ બનશે. તેમણે કહ્યું કે, ઇથેનોલના વધતા ઉપયોગથી આયાત પર ખર્ચવામાં આવતા નાણાં ધીમે ધીમે ઘટશે અને તે ગામડાઓમાં જશે અને વિકાસને પ્રોત્સાહન આપશે.

આ પણ વાંચો : દુનિયામાં ફરી વાગ્યો ભારતનો ડંકો, સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતામાં PM મોદી પ્રથમ સ્થાને

ગડકરીનું માનવું છે કે ઉર્જા અને ઉર્જા ક્ષેત્રોમાં કૃષિનું વૈવિધ્યકરણ એ દેશની જરૂરિયાત છે. તેમણે દેખીતી રીતે ઇથેનોલના ઉત્પાદનમાં વધારો કરવાની હિમાયત કરી હતી. હવે ઉર્જા અને પાવર સેક્ટર તરફ કૃષિનું વૈવિધ્યકરણ દેશની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે જ્યાં પાણી, રસ્તા, કોમ્યુનિકેશન અને વીજળી છે, ત્યાં મૂડી રોકાણ આવશે. જ્યાં મૂડી રોકાણ આવશે, વિકાસ દર વધશે, રોજગારીનું સર્જન થશે અને ગરીબી નાબૂદ થશે. મોદીના નેતૃત્વમાં અમારી સરકાર આના પર કામ કરી રહી છે. જેમાં હવે ખેડૂતો ઇથેનોલ બનાવશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video