Vadodara: વિકાસ કામોના લોકાર્પણ દરમ્યાન નિતિન ગડકરીએ કરી આ મહત્વની વાત, જુઓ Video
નિતિન ગડકરીના હસ્તે બે બ્રિજનું લોકાર્પણ કરાયું છે. જે દરમ્યાન તેમણે ગુજરાતના વિકાસને લઈ વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. 2024 પૂર્ણ થયા પહેલા દેશના રોડ વર્લ્ડ ક્લાસ બનશે તેવું પણ જણાવ્યુ હતું.
Vadodara: આજે કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીના હસ્તે બે બ્રિજના લોકાર્પણ થયા. જેને લઈ અમદાવાદથી સુરત જતાં વાહનચાલકોને ફાયદો થશે. કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતિન ગડકરી(Nitin Gadkari) ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમણે સભા સંબોધી હતી. જેમાં ગુજરાતમાં થયેલા રોડ રસ્તાઓના કામોને લઈ વાત કરી હતી. મહત્વનુ છે કે ગુજરાતમાં 88 ટકા હાઇવે બ્લેક સ્પોટમાં ઘટાડો કર્યો હોવાની વાત નિતિન ગડકરીએ કરી હતી. તેમણે કહ્યું રાજયમાં અકસ્માતમાં ઘટાડો કરી શકાય તેના માટે અકસ્માત નિવારક સમિતિ બનાવી છે. જેમાં દરેક જીલ્લામાં કલેક્ટર તેનું પ્રતિનિધિત્વ કરશે. બ્લેક સ્પોટમાં ઘટાડો કરી 22 ટકા મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો હોવાનું નિતિન ગડકરીએ જણાવ્યુ છે.
આ પણ વાંચો : કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના હસ્તે બે બ્રિજનું લોકાર્પણ, આ શહેરોના વાહન ચાલકોને પણ થશે ફાયદો, જુઓ Video
અમેરિકના રસ્તાઓની વાત આવી ત્યારે મંત્રી નિતિન ગડકરીએ કહ્યું અમેરીકામાં રસ્તા સારા છે એટ્લે લોકો ધનવાન છે. દરેક ગામને મજબૂત રસ્તાથી જોડવાનું કામ સરકાર કરી રહી છે. આ વચ્ચે તેમણે ગૃહ મંત્રી સાથે વાત કરી પોલીસ વિભાગને પણ સૂચન કર્યું હતું કે તેમના વિસ્તારમાં જે અકસ્માતની ઘટનાઓ બને તે તમામ રિપોર્ટ નિતિન ગડકરીને પહોંચાડવા જણાવ્યુ હતું. આ સમગ્ર સભામાં તેમણે મહત્વની વાત કરી હતી કે 2024 પૂર્ણ થયા પહેલા દેશમાં વર્લ્ડ ક્લાસ રસ્તાઓ બનશે.
(with input : yunus gazi)
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
