જેના 2 કે તેથી વધારે બાળકો હશે તેના ખાતામાં આવશે 25 હજાર ! કયા રાજ્યની સરકારે કર્યું આ એલાન ?

દેશના એક રાજ્યમાં ઘટતા જતા જન્મ દરને સુધારવા સરકાર એક સ્કીમ પર વિચાર કરી રહી છે. આ વિશે વિગતો સામે આવી રહી છે કે, રાજ્ય સરકાર ઘટતા જતાં જન્મ દરને વધારવા માટે બીજા બાળક પછી કપલ્સને 25000 રૂપિયાનું બર્થ ઇન્સેંટિવ ( પ્રોત્સાહન રાશિ ) આપવા પર વિચાર કરી રહી છે.

જેના 2 કે તેથી વધારે બાળકો હશે તેના ખાતામાં આવશે 25 હજાર ! કયા રાજ્યની સરકારે કર્યું આ એલાન ?
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Mar 06, 2026 | 7:10 PM

આંધ્ર પ્રદેશ સરકાર ઘટતા જન્મ દર સુધારવા માટે સરકારે બીજા બાળકના જન્મ પર ઇન્સેંટિવ આપવાનો વિચાર કરી રહી છે. આ મામલા પર વિધાનસભામાં મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ બીજા અથવા તેનાથી વધારે બાળક ધરાવતા કપલ્સને ડિલિવરી સમયે 25000 રૂપિયા બર્થ ઇન્સેંટિવ આપવાનો પ્રસ્તાવ રાખ્યો છે.

આંધ્ર પ્રદેશમાં ઘટતા જન્મ દરને સુધારવા સરકાર એક સ્કીમ પર વિચાર કરી રહી છે. આ વિશે મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે રાજ્ય સરકાર ઘટતા જતાં જન્મ દરને વધારવા બીજા બાળક પછી કપલ્સને 25000 રૂપિયાનું બર્થ ઇન્સેંટિવ ( પ્રોત્સાહન રાશિ ) આપવા પર વિચાર કરી રહી છે. વિધાનસભામાં સંબોધન સીએમ નાયડુએ કહ્યું કે સરકાર આ લક્ષ્ય આંધ્ર પ્રદેશની ટોટલ ફર્ટિલિટી રેટ (TFR)ને હાલના 1.5 થી વધારીને 2.1 સુધી કરવાનો છે. આ હમણાં રિપ્લેસમેન્ટ લેવાલથી નીચે છે.

સીએમ નાયડુએ કહ્યું કે અમે એક નવી રીત શોધી રહ્યા છીએ. અમે બીજા અથવા તેનાથી વધારે બાળકો ધરાવતા માતા-પિતાને ડિલિવરી સમયે 25000 રૂપિયા આપીશું. જો અમે આવું કરી શક્યા, તો આ વધારે કામ આવશે.

કયા સુધી લાગુ કારવનો છે પ્લાન?

પોપ્યુલેશન મેનેજમેંટના મહત્વ પર બહાર મુકતા, સીએમએ કહ્યું કે ઘણા દેશની વધતી ઉમરની આબાદીના કારણે ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું કે સરકાર માર્ચના અંત સુધી પોપ્યુલેશન મેનેજમેંટ પર એક પોલિસી લાવી અને એપ્રિલમાં તેને લાગુ કરવાની યોજના બનાવી રહયા છીએ. આને યોજનાને એક મોટી પોલિસી ઇન્ટરવેંશન જણાવતા સીએમ નાયડુ કહે છે કે આનો સામનો કરવા માટે, સરકાર બાળકના જન્મ પર ફાઈનેંશિયલ ઇન્સેંટિવ આપવાનો પ્રસ્તાવ કરી રહી છે. આ યોજના હેઠળ, જે માતા-પિતાને બે કે તેથી વધારે બાળક હશે, તેમને ડિલિવરીના સમયે 25000 રૂપિયા મળશે. એક સમય હતો જ્યારે આબાદીને એક મોટી સમસ્યા તરીકે જોવામાં આવતી હતી અને 2004 પહેલા ફેમિલી પ્લાનિંગને ઇન્સેંટિવ આપવામાં આવતું હતું.

એમણે કહ્યું કે અમે એક નિયમ પણ લાવ્યા હતા, જે અંતર્ગત બે થી વધારે બાળકો ધતાવતા લોકો સ્થાનિક ચૂંટણી નહતા લડી શકતા. પણ આજે, બે થી વધારે બાળકો ધરાવતા લોકો પણ ચૂંટણી લડી શકે, તેના માટે નિયમોમાં બદલાવ કરવાની જરૂરત છે. દેશ ફક્ત તેની જમીન, પ્રદેશો, નગરો કે સરહદો વિશે નથી, તે તેના લોકો વિશે છે.

ફ્લાઈટ રદ્દ થવાથી વિદેશમાં ફસાવ..તો શું મળશે ટ્રાવેલ ઈશ્યોરન્સના પૈસા ? જાણો અહીં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો