ભારતની વધી તાકાત, પાકિસ્તાન બોર્ડર પાસે ઇમરજન્સી લેન્ડિંગ માટે એર સ્ટ્રીપનું કર્યું ઉદ્ઘાટન

|

Sep 09, 2021 | 5:37 PM

ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દેશની પ્રથમ ઇમરજન્સી એર સ્ટ્રીપ બાડમેર-જાલોરની બોર્ડર પર તૈયાર કરવામાં આવી છે.

ભારતની વધી તાકાત, પાકિસ્તાન બોર્ડર પાસે ઇમરજન્સી લેન્ડિંગ માટે એર સ્ટ્રીપનું કર્યું ઉદ્ઘાટન
File photo

Follow us on

ભારત-પાક સરહદ પર બાડમેર-જલોર જિલ્લાની સરહદ પર અગડાવા ખાતે દેશની પ્રથમ ઇમરજન્સી એર સ્ટ્રીપનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રક્ષામંત્રી રાજનાથ સિંહ, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે રાજસ્થાનના જાલોરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઇમરજન્સી ફિલ્ડ લેન્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું.

 

આ સાથે જ રાજનાથ સિંહે કહ્યું છે કે આજે ઐતિહાસિક દિવસ છે, હવે રસ્તા પર પણ વિમાનો ઉતરશે. કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું કે આ દેશની શ્રેષ્ઠ એર સ્ટ્રીપ છે. મંચ પરથી તેમણે એરફોર્સના અધિકારીઓને તેનો પ્રોજેક્ટ બનાવવાની વાત કરી. એ પણ કહ્યું કે તેનો ઉપયોગ એરફોર્સ સાથે નાગરિકના ઉપયોગ માટે કરવામાં આવશે. આસપાસ એરપોર્ટના અભાવને જોતા તેમણે કહ્યું કે એરપોર્ટ 350 KM ની રેન્જમાં બનાવવામાં આવશે. તેમણે દિલ્હી અને જયપુર વચ્ચે ઇલેક્ટ્રિક હાઇવે પ્રોજેક્ટ લાવવાની વાત પણ કરી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

માહિતી અનુસાર, ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દેશની પ્રથમ ઇમરજન્સી એર સ્ટ્રીપ બાડમેર-જાલોરની બોર્ડર પર તૈયાર કરવામાં આવી છે. આ એર સ્ટ્રીપ પાકિસ્તાન સરહદથી માત્ર 40 કિલોમીટર દૂર છે. બાડમેર-જાલોર જિલ્લાની સરહદ અગાડાવા ખાતે બનેલી ઇમરજન્સી એરસ્ટ્રીપ એરફોર્સ માટે ઇમરજન્સી ઉપયોગ માટે બનાવવામાં આવી છે.

32.95 કરોડના ખર્ચે બનેલી આ એરસ્ટ્રીપના 3 કિ.મી. લંબાઈ અને 33 મીટર પહોળાઈ ધરાવે. રનવેના બંને છેડે 40 બાય 180 મીટરના બે પાર્કિંગ પણ બનાવવામાં આવ્યા છે. જેથી વિમાનો ઉતરાણ બાદ પાર્ક કરી શકાય.

આ સિવાય, 25 બાય 65 મીટરની સાઇઝની એટીસી પ્લિન્થનું નિર્માણ ડબલ માળની એટીસી કેબિન સાથે કરવામાં આવ્યું છે, જે ઇમરજન્સી રનવેની નજીક 3.5 કિ.મી.લાંબી અને 7 મીટર પહોળો સર્વિસ રોડ પણ બનાવવામાં આવ્યો છે. તેના પર 33 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સુખોઈ એસયુ -30, મિગ અને જગુઆર જેવા લડાકુ વિમાનોએ જોરદાર ગર્જના સાથે રનવે પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. બાડમેરના ગાંધવ ખાતે ભારત માલા હાઇવે NH-925A પર ઇમરજન્સી રનવે 3000 મીટર (3 કિમી) લાંબો અને 33 મીટર પહોળો છે. આ એર સ્ટ્રીપ બનાવવા માટે 32.95 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ભારત-પાક સરહદથી માત્ર 40 કિમી દૂર. આ એરસ્ટ્રીપ અંતરે બનાવવામાં આવી છે.

માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળ, જમ્મુ -કાશ્મીર અને આંધ્રપ્રદેશમાં પણ આવી એર સ્ટ્રીપ બનાવવામાં આવી રહી છે. આ હવાઈ પટ્ટીનો ઉપયોગ ફક્ત યુદ્ધમાં અથવા કોઈપણ કટોકટીમાં થઈ શકે છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, સિંગાપોર, ફિનલેન્ડ, જર્મની, દક્ષિણ કોરિયા અને તાઇવાન સહિતના કેટલાક દેશોમાં હાઇવે અને એક્સપ્રેસ વે પર ઇમરજન્સી લેન્ડિંગ અને એરક્રાફ્ટના ટેક-ઓફ માટે આવા રનવે છે.

આ પણ વાંચો :Rajya Sabha Bypolls: રાજ્યસભાની 7 બેઠક માટે 4 ઓક્ટોબરે યોજાશે મતદાન, જાણો કેમ ખાલી પડી બેઠક

આ પણ વાંચો :Ahmedabad:સોલા સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયેલી બાળકીને શોધવામાં પોલીસ સફળ, પરિવારને સોંપવામાં આવી

Published On - 3:42 pm, Thu, 9 September 21

Next Article