પશ્ચિમ બંગાળ સરકારે પાનમસાલા-ગુટખાના ખરીદ-વેચાણ પર એક વર્ષ સુધી પ્રતિબંધ લગાવ્યો

|

Oct 26, 2021 | 6:53 PM

Bengal Bans Gutkha-Pan masala: પશ્ચિમ બંગાળમાં ગુટખા અને પાન મસાલા પર 23 એપ્રિલ, 2013ના રોજ પ્રથમ વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારથી આ પ્રતિબંધ એક-એક વર્ષ માટે લંબાવવામાં આવી રહ્યો છે.

પશ્ચિમ બંગાળ સરકારે પાનમસાલા-ગુટખાના ખરીદ-વેચાણ પર એક વર્ષ સુધી પ્રતિબંધ લગાવ્યો
The Bengal government again imposed a ban on the sale and production of Pan Masala and Gutkha for 1 year.

Follow us on

પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં 7 નવેમ્બર, 2021થી ગુટખા અને પાન મસાલા સહિત તમામ તમાકુ ઉત્પાદનોના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ (Bengal Bans Gutkha-Pan masala) મૂક્યો છે. સોપારી, ગુટખાના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધની સાથે સાથે ઉત્પાદન પર પણ એક વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ગુટખા અને તમાકુના મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અથવા વિતરણ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ અગાઉ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા એક વર્ષ પહેલા ગુટખા અને તમાકુના મસાલા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તે સમયગાળાના અંત પહેલા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. ગુટખા, પાન-મસાલા સહિતની તમાકુની બનાવટો સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તમાકુના પદાર્થોમાં નિકોટિન વધુ માત્રામાં જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તે કેન્સર ઉપરાંત અન્ય ઘણી બીમારીઓનું કારણ બને છે.

ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર પણ પ્રતિબંધ
દુકાનોમાં વેચાણ અને ગોડાઉનમાં સંગ્રહની સાથે ઉત્પાદન પર પ્રતિબંધ રહેશે. આ નિર્દેશ 7 નવેમ્બરથી લાગુ થશે. સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, ગુટખા, પાન-મસાલા સહિત તમાકુના ઉત્પાદનો સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે કે ગુટકા અને માનવ શરીર માટે હાનિકારક નિકોટિન અથવા તમાકુ ઉત્પાદનો ધરાવતા વિવિધ મસાલાના વેચાણ પર આગામી એક વર્ષ માટે રાજ્યમાં પ્રતિબંધ રહેશે. આ સમયગાળા દરમિયાન ગુટકા અને પાન મસાલાનું ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ કરી શકાશે નહી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સૌપ્રથમ 23 એપ્રિલ 2013ના રોજ લગાવવામાં આવ્યો હતો આ પ્રતિબંધ
પશ્ચિમ બંગાળમાં ગુટખા અને પાન મસાલા પર 23 એપ્રિલ, 2013ના રોજ પ્રથમ વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારથી આ પ્રતિબંધ એક-એક વર્ષ માટે લંબાવવામાં આવી રહ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે આ બધી વસ્તુઓના વ્યસનને કારણે કેન્સરના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેઓ ઈચ્છે છે કે તેના પર કાયમ માટે પ્રતિબંધ મુકવામાં આવે.

નિયંત્રણો વધારવા માટે કલકત્તા પોલીસ, પોલીસ અધિક્ષક, જિલ્લા મેજિસ્ટ્રેટ અને મુખ્ય આરોગ્ય અધિકારી સહિત વિવિધ નગરપાલિકાઓને ગાઈડલાઈન મોકલવામાં આવી છે. ઘણા લોકો રસ્તા પર ગુટખા કે પાન મસાલા ખાતા અને દરેક જગ્યાએ થૂંકતા જોવા મળે છે. નિષ્ણાતોના મતે, કોરોનાનો ચેપ થૂંક અથવા લાળ દ્વારા ફેલાય છે. તેમાં માત્ર કોવિડ જ નહીં પરંતુ વિવિધ વાયરસ પણ હોઈ શકે છે. જેના કારણે ચેપ વધવાનો ખતરો છે.

Next Article