TCS એ વિદેશ પ્રવાસ અને વિદેશમાં પૈસા મોકલવા પર 20 ટકાનો પ્રસ્તાવ મૂક્યો

|

Feb 01, 2023 | 6:12 PM

Budget 2023 : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ઉદાર રેમિટન્સ સ્કીમ હેઠળ, ભારતની બહાર રૂ. 7 લાખથી વધુના રેમિટન્સ પર 20 ટકા TCS વસૂલવામાં આવશે. આ સુધારા 1 જુલાઈ, 2023થી લાગુ થશે.

TCS એ વિદેશ પ્રવાસ અને વિદેશમાં પૈસા મોકલવા પર 20 ટકાનો પ્રસ્તાવ મૂક્યો
સાંકેતિક ફોટો

Follow us on

દિલ્હી, 01 ફેબ્રુઆરી, સરકારે બુધવારે બજેટમાં વિદેશ પ્રવાસ અને ભારતની બહાર નાણાં મોકલવા માટેના ટૂર પેકેજ પર TCS રેટ વધારીને 20 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બુધવારે સંસદમાં રજૂ કરાયેલા બજેટ દ્વારા પ્રસ્તાવિત ફાઇનાન્સ બિલ 2023-24 દ્વારા, વિદેશ પ્રવાસના કાર્યક્રમો પર ‘ટેક્સ કલેક્શન એટ સોર્સ’ (TCS) વસૂલ કરીને આવકવેરા કાયદાની કલમ 206Cમાં સુધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ઉદાર રેમિટન્સ સ્કીમ હેઠળ, ભારતની બહાર રૂ. 7 લાખથી વધુના રેમિટન્સ પર 20 ટકા TCS વસૂલવામાં આવશે. આ સુધારા 1 જુલાઈ, 2023થી લાગુ થશે. સલાહકાર કંપની નાંગિયા એન્ડરસનના અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે વિદેશી હૂંડિયામણ અનામતની આરામદાયક સ્થિતિને જોતાં TCSમાં પાંચ ટકાથી 20 ટકાનો વધારો આશ્ચર્યજનક છે. તેમણે કહ્યું કે આ રીતે સરકાર વિદેશ પ્રવાસો પર થતા ખર્ચને નિરુત્સાહિત કરવા માંગે છે.

વિશ્વમાં ભારતીય પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓની બોલબાલા વધી

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કેન્દ્રીય બજેટ રજૂ કરતાં તેમણે કહ્યું કે વિશ્વએ ભારતને એક સ્ટાર તરીકે ઓળખાવ્યું છે, તમામ મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં મહામારી અને યુદ્ધને કારણે વૈશ્વિક મંદી હોવા છતાં ચાલુ વર્ષ માટે આપણો વિકાસ 7 ટકાનો અંદાજ છે. સૌથી વધુ તેમણે કહ્યું કે ભારતીયની અર્થવ્યવસ્થા સાચા માર્ગ પર છે, ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા છેલ્લા 9 વર્ષોમાં કદમાં 10માથી વધીને વિશ્વમાં 5મા નંબર પર આવી ગઈ છે.

તાજેતરમાં IMF દ્વારા ભારતીય અર્થવ્યવસ્થાનો અંદાજ મુક્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં 6.8 ટકા રહેવાની આશા છે. જ્યારે નાણાકીય વર્ષ 2024માં તે ઘટીને 6.1 ટકા થઈ શકે છે. IMF પહેલેથી જ કહી ચૂક્યું છે કે વિશ્વનો એક તૃતીયાંશ ભાગ મંદીમાં આવી શકે છે. જેની અસર વિકાસશીલ દેશોમાં પણ જોવા મળી શકે છે.

Next Article