SCએ નૂપુર શર્માની અરજી ફગાવી, નૂપુર શર્માએ ટીવી પર આવીને દેશની માફી માંગવાની જરૂર હતી : SC

|

Jul 01, 2022 | 12:31 PM

Nupur Sharma Update: સુપ્રીમ કોર્ટે આ મામલે ભાજપના પૂર્વ પ્રવક્તાને સખત ઠપકો આપ્યો છે. સાથે જ કોર્ટે કહ્યું કે, નિવેદનોથી અશાંતિ ફેલાઈ છે. નૂપુર શર્માએ ટીવી ડિબેટ દરમિયાન પ્રોફેટ મોહમ્મદ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ તપાસનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કર્યા હતા.

SCએ નૂપુર શર્માની અરજી ફગાવી, નૂપુર શર્માએ ટીવી પર આવીને દેશની માફી માંગવાની જરૂર હતી : SC
Nupur Sharma
Image Credit source: TV9 Digital

Follow us on

પયગંબર મોહમ્મદ પર કથિત ટીપ્પણીના કેસમાં, નુપુર શર્માએ(Nupur Sharma Prophet Muhammad Statement)સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને તેની સામે અનેક રાજ્યોમાં નોંધાયેલી લગભગ એક ડઝન FIR તપાસ માટે દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. શર્મા કહે છે કે તેમની ટિપ્પણીઓ પાછી ખેંચી લેવા છતાં, તેમને અસામાજિક તત્વો તરફથી સતત બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેણે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે સંબંધિત પોલીસ દ્વારા તપાસ માટે અલગ-અલગ રાજ્યોમાં પ્રવાસ કરવો તેમના માટે સુરક્ષિત રહેશે નહીં. ત્યારે સુપ્રીમ કોર્ટે (Supreme Court)અરજી પર તેમને ફટકાર લગાવી છે અને કહ્યું છે કે ઉદયપુરની ઘટના માટે શર્માની ભાષણબાજી જવાબદાર છે.

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા(Nupur Sharma)એ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. શર્માએ તેમની સામે ચાલી રહેલા કેસોને અલગ-અલગ રાજ્યોમાંથી ટ્રાન્સફર કરવાની માગ કરી છે. હાલ આ અરજીની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ભાજપના પૂર્વ પ્રવક્તાને સખત ઠપકો આપ્યો છે. સાથે જ કોર્ટે કહ્યું કે, નિવેદનોથી અશાંતિ ફેલાઈ છે. નૂપુર શર્માએ ટીવી ડિબેટ દરમિયાન પયંગબર મોહમ્મદ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ તપાસનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કર્યા હતા.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

શર્મા સામે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું છે કે તેણે દેશની સુરક્ષા માટે ખતરો ઉભો કર્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે તેમના કારણે સમગ્ર દેશમાં અશાંતિ ફેલાઈ છે. શર્મા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે કહ્યું કે તેમણે તેમના નિવેદનો માટે માફી માંગી છે અને તેમને પરત પણ લઈ લીધા છે. તેના પર કોર્ટે કહ્યું કે તે ટીવી પર જઈને આખા દેશની માફી માંગવાની જરૂર હતી. કોર્ટે એમ પણ કહ્યું છે કે ઉશ્કેરણી કરનારાઓ વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, શર્મા ઘણા રાજ્યોમાં તેમની વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરને દિલ્હી ટ્રાન્સફર કરવા માંગે છે. તેમણે આ માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ દરમિયાન ભાજપના પૂર્વ પ્રવક્તાએ માહિતી આપી હતી કે તેમને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. પયગંબર પરની વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે દેશના ઘણા ભાગોમાં ભારે હોબાળો થયો હતો.

તણાવ હજુ પણ સમાપ્ત થયો નથી

28 જૂને રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ તેલી નામના દરજીની બે યુવકોએ નિર્મમ હત્યા કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રિયાઝ અને મોહમ્મદ ગૌસે નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટના કારણે દરજીનો જીવ લીધો હતો. એટલું જ નહીં, તેણે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો અને બાદમાં બીજો વીડિયો પણ જાહેર કર્યો હતો અને હત્યાની જવાબદારી પણ લીધી હતી. જો કે બંને હત્યારાઓને પોલીસે રાજસમંદમાંથી પકડી પાડ્યા હતા.

Published On - 11:22 am, Fri, 1 July 22

Next Article