સુપ્રીમ કોર્ટમાં આજે થશે નાગરિકતા સુધારા કાયદા પર મહત્વની સુનાવણી

|

Jan 22, 2020 | 4:30 AM

CAA મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાશે. આ કેસમાં 140 અરજી કરાઈ છે, જેમાંથી મોટાભાગની અરજીઓ કાયદાના વિરોધમાં છે. જ્યારે કેટલીક અરજીઓ કાયદાના સમર્થનમાં છે. આ સિવાય કેટલીક અરજીઓમાં NPR એટલે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને પણ પડકાર ફેંકાયો છે. વિરોધમાં દાખલ કરાયેલી અરજીઓમાં CAAને ગેરબંધારણીય જાહેર કરીને રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ […]

સુપ્રીમ કોર્ટમાં આજે થશે નાગરિકતા સુધારા કાયદા પર મહત્વની સુનાવણી

Follow us on

CAA મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાશે. આ કેસમાં 140 અરજી કરાઈ છે, જેમાંથી મોટાભાગની અરજીઓ કાયદાના વિરોધમાં છે. જ્યારે કેટલીક અરજીઓ કાયદાના સમર્થનમાં છે. આ સિવાય કેટલીક અરજીઓમાં NPR એટલે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને પણ પડકાર ફેંકાયો છે. વિરોધમાં દાખલ કરાયેલી અરજીઓમાં CAAને ગેરબંધારણીય જાહેર કરીને રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

CAAમાં મોદી સરકારે બદલાવ કરીને હિન્દુ, શિખ, ઈસાઈ, બૌદ્ધ અને પારસી ધર્મના લોકોને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ કરી છે. સંશોધિત કાયદા પ્રમાણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા હિન્દુ, શિખ, ઈસાઈ, બૌદ્ધ અને પારસી ધર્મના શરણાર્થીઓને નાગરિકતા આપવાની જોગવાઈ છે. પરંતુ ધર્મની આ યાદીમાં મુસ્લિમ સમુદાયને સામેલ કરવામાં નથી આવ્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં કહેવાયું છે કે ભારતના કાયદામાં ધર્મના આધારે ભેદભાવ ન કરી શકાય. એટલા માટે આ કાયદાને રદ કરીને તેમાં મુસ્લિમ સમુદાયને પણ સામેલ કરવામાં આવે, સાથે જ અનેક બીજા દેશોમાં પણ લોકો યાતનાગ્રસ્ત છે. તેમને પણ ભારતમાં જગ્યા મળવી જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article