CAA પર પ્રતિબંધથી સુપ્રીમ કોર્ટે કર્યો ઈનકાર, જવાબ માટે કેન્દ્રને 4 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો

|

Jan 22, 2020 | 7:04 AM

સુપ્રીમ કોર્ટે નાગરિકતા સુધારા કાયદા પર સુનાવણી કરતા કહ્યું કે CAA પર રોક લગાવી શકાતી નથી. આ અરજીઓ પર ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ અબ્દૂલ નજીર, જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચ સુનાવણી કરી રહી છે. CJIએ કહ્યું કે અમે કાયદો લાગૂ કરવાની તારીખમાં વધારો કરવાનો કોઈ આદેશ નથી આપી શકતા.   Web Stories View more સરકારી બેંક […]

CAA પર પ્રતિબંધથી સુપ્રીમ કોર્ટે કર્યો ઈનકાર, જવાબ માટે કેન્દ્રને 4 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો

Follow us on

સુપ્રીમ કોર્ટે નાગરિકતા સુધારા કાયદા પર સુનાવણી કરતા કહ્યું કે CAA પર રોક લગાવી શકાતી નથી. આ અરજીઓ પર ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ અબ્દૂલ નજીર, જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચ સુનાવણી કરી રહી છે. CJIએ કહ્યું કે અમે કાયદો લાગૂ કરવાની તારીખમાં વધારો કરવાનો કોઈ આદેશ નથી આપી શકતા.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

CJI એસ.એ.બોબડેએ કહ્યું કે હાલમાં અમે સરકારને પ્રોવિજનલ નાગરિકતા આપવા માટે કહી શકીએ છીએ. અમે એકતરફી રોક નથી લગાવી શકતા. અરજીઓ પર જવાબ આપવા માટે કેન્દ્રને 4 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોંગ્રેસના વરિષ્ઠના નેતા કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું કે CAAને લાગૂ કરવાની તારીખમાં 3 મહિનાનો વધારો કરવામાં આવે અને મામલાને 5 જ્જની ખંડપીઠ સમક્ષ મોકલવામાં આવે, જ્યારે અભિષેક સિંઘવીએ કહ્યું કે આનાથી મોટાભાગના લોકો પ્રભાવિત થશે. તમે કાયદો લાગૂ કરવાની તારીખ વધારવાનો આદેશ આપો. તેની પર એટોર્ની જનરલે કહ્યું કે આદેશની જરૂરિયાત નથી, કારણ કે અરજીઓ નિરર્થક છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નાગરિકતા સુધારા કાયદા પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુનાવણી માટે 144 અરજીઓ સૂચિત કરવામાં આવી છે. તેની પર એટોર્ની જનરલ કે.કે.વેણુગોપાલે કહ્યું કે 140થી પણ વધારે અરજીઓ છે પણ કેન્દ્રને માત્ર 60 મળી છે. તમામ અરજીઓ મળશે તો અમે જવાબ રજૂ કરીશું. સાથે જ એટોર્ની જનરલે અપીલ કરી છે કે કોર્ટને આદેશ આપવો જોઈએ કે હવે કોઈ નવી અરજી દાખલ ના થવી જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:00 am, Wed, 22 January 20

Next Article