સુપ્રિમ કોર્ટની સુઓમોટો રીટઃ ઓક્સિજનના અભાવે લોકો મરી રહ્યા છે, વધુ સુનાવણી 27મી એપ્રિલે હાથ ધરાશે

|

Apr 23, 2021 | 2:32 PM

સુપ્રીમ કોર્ટના ( Supreme Court ) મુખ્ય ન્યાયાધીશ ( Chief Justice, ) એ દેશમાં કોરોનાની હાલની કથળી રહેલી સ્થિતિ વિશેના સુઓમોટો ( Supreme Court Suomoto writ, ) કેસમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે દેશમાં ઓક્સિજનના અભાવને કારણે લોકો મરી રહ્યા છે. આ કેસની આગામી સુનાવણી 27 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.

સુપ્રિમ કોર્ટની સુઓમોટો રીટઃ ઓક્સિજનના અભાવે લોકો મરી રહ્યા છે, વધુ સુનાવણી 27મી એપ્રિલે હાથ ધરાશે
સુપ્રિમ કોર્ટની સુઓમોટો રીટઃ વધુ સુનાવણી 27મી એપ્રિલે હાથ ધરાશે

Follow us on

દેશમાં કોરોનાની કથળેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે સુમો મોટો રીટ કરીને આ મામલાની સુનાવણી આજે હાથ ધરી હતી. ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા (Chief Justice of India) એસ.એ. બોબડેની અધ્યક્ષતામાં ત્રણ જજની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી છે. સીજેઆઈ ( (Chief Justice) શરદ અરવિંદ બોબડેએ કહ્યું કે દેશભરમાં ઓક્સિજનના અભાવને કારણે લોકો મરી રહ્યા છે. દરમિયાન વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ, સુપ્રિમ કોર્ટને વિનંતી કરી હતી કે, તેમને એમેક્સ ક્યુરીની ( Amix Curie ) જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે. આ અંગે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ( Solicitor General, Tushar Mehta,) કહ્યું કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે ઘણા વર્ચુઅલ મીડિયા પ્લેટફોર્મ આ કેસમાં હરીશ સાલ્વેને એમિકસ ક્યુરિયા તરીકે નિયુક્ત કરવાની પ્રક્રિયાની ટીકા કરી રહ્યા છે. ત્યારબાદ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ( CJI ) એસ.એ. બોબડેએ હરીશ સાલ્વેને ( Harish Salve ) કેસમાંથી ખસી જવા મંજૂરી આપી હતી.

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના વરિષ્ઠ વકીલ વિકાસસિંહે કહ્યું કે આંતરરાજ્ય હેરફેર ઉપર ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે ઓક્સિજનની તીવ્ર તંગી છે. સીજેઆઈએ જણાવ્યું હતું કે, આ મામલે હવે આગામી મંગળવારને 27 એપ્રિલના રોજ વધુ સુનાવણી હાથ ધરાશ.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સુપ્રીમ કોર્ટે દેશમાં કોરોના સંક્રમણની ગંભીર પરિસ્થિતિ અને ઓક્સિજન અને દવાઓ માટે દર્દીઓનો સામનો કરી રહેલી સમસ્યાઓને લઈને ગુરુવારે સુઓમોટો રીટ કરીને સુનાવણી હાથ ધરી હતી. સર્વોચ્ચ અદાલત ઓક્સિજન અને આવશ્યક દવાઓના સપ્લાયના મુદ્દે કેન્દ્ર સરકાર પાસેથી રાષ્ટ્રીય યોજના ઇચ્છે છે. ઓક્સિજન, આવશ્યક દવાઓ, કોરોના રસીકરણની રીત અને લોકડાઉનને લાગુ કરવાના અધિકારને ધ્યાનમાં લઈને કોર્ટે કેન્દ્ર સરકાર, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારી છે. દેશની કોરોનાની સ્થિતિને રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ ગણાવી કોર્ટે તમિલનાડુમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાની મંજૂરી માંગતી વેદાંતની અરજી પર સુનાવણી પણ માન્ય રાખી હતી.

Next Article