સુપ્રીમ કોર્ટે પોતાના 27 માર્ચના એ આદેશને પાછો લીધો છે. જેમાં BS-IV વાહનોના વેચાણ માટે લોકડાઉન પછી 10 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા આ આદેશ પાછો લીધા પછી હવે 31 માર્ચ પછી જે BS-IV વાહનના વેચાણ થયા છે. તેનું રજીસ્ટ્રેશન નહીં કરવામાં આવે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી ખંડપીઠને જાણવા મળ્યું કે કેસને લઈ જે નિર્દેશ પહેલા આપવામાં આવ્યા હતા, તેનું ઉલ્લંઘન થયું છે. સાથે જ માર્ચના છેલ્લા અઠવાડિયામાં અને એપ્રિલમાં પણ BS-IV વાહનોની ખરીદી ચાલુ હતી.
કોર્ટે કહ્યું કે BS-IV વાહનોના વેચાણ અને રજીસ્ટ્રેશન માટે છૂટ પર આદેશને સ્પષ્ટરૂપે ઓટોમોબાઈલ ડીલર્સે ઉલ્લંઘન કર્યુ છે. 1.05 લાખ BS-IV વાહનોના વેચાણ અને રજીસ્ટ્રેશનની પરવાનગી આપી હતી પણ હવે લાગે છે કે 2.55 લાખ વાહન વેચવામાં આવ્યા છે.
આ મામલે સુપ્રીમ કોર્ટે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (FADA)ને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા માટે ફટકાર લગાવી છે. જસ્ટિસ મિશ્રા, જસ્ટિસ એસ અબ્દુલ નજિર અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જીની બેન્ચે કહ્યું કે તમે અમને ડફોળના બનાવી શકતા નથી. તમે છેતરપિંડી કરીને કોર્ટના આદેશનો લાભ નથી ઉઠાવી શકતા. લોકડાઉન દરમિયાન તમે વેચાણ કેવી રીતે શકતા હતા? આ માત્ર લોકડાઉનનું ઉલ્લંઘન નથી પણ અમારા આદેશનું પણ ઉલ્લંઘન છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કોર્ટે શુક્રવાર સુધી FADA પાસે વેચાણ અને રજીસ્ટ્રેશનની ડિટેલ માગી છે. કોર્ટે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે પાસે પણ 27 માર્ચના આદેશ પછી વેચાણ થયેલા અને રજીસ્ટર્ડ કરેલા BS-IV વાહનોની ડિટેલ માગી છે.
Published On - 5:20 am, Thu, 9 July 20