મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ કિરુબાકરને જણાવ્યુ કે “સુપ્રીમ કોર્ટ માત્ર દિલ્હી અથવા આસપાસ રહેતા લોકો માટે નથી”

ન્યાયમૂર્તિ કિરુબાકરને જણાવ્યુ હતુ કે, સુપ્રીમ કોર્ટ માત્ર દિલ્હી અને આસપાસના વિસ્તારના લોકો માટે જ નથી. દેશમાં આવેલા જમ્મુ કશ્મીરથી લઈને તમિલનાડુ અને ગુજરાતથી લઈને મણિપુરના લોકો માટે પણ સુપ્રીમ કોર્ટ છે.

મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ કિરુબાકરને જણાવ્યુ કે સુપ્રીમ કોર્ટ માત્ર દિલ્હી અથવા આસપાસ રહેતા લોકો માટે નથી
Justice Kirubakaran (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 12:08 PM

Delhi : તાજેતરમાં મદ્રાસ હાઇકોર્ટના જસ્ટિસ એન કિરુબાકરને ( Justice N Kirubakarn) અવલોકનમાં જણાવ્યુ હતું કે, “નવી દિલ્હીમાં અદાલતો અને ટ્રિબ્યુનલોનું સ્થાન એ નવી દિલ્હીથી દૂર દૂરના સ્થળોએ રહેતા લોકો માટે અન્યાય છે.” વધુમાં જણાવ્યું હતું કે, માત્ર તે જ અદાલતો કે જેઓ સુપ્રીમ કોર્ટની નજીક છે તે જ તે પહેલાં કેસ દાખલ કરે છે અથવા અપીલ કરે છે અને જે રાજ્યો દિલ્હીથી દુર છે તેમને આ માટે અન્યાય થઈ રહ્યો છે.

સુપ્રીમ કોર્ટ માત્ર દિલ્હી અથવા આસપાસ રહેતા લોકો માટે જ નથી: ન્યાયમૂર્તિ કિરુબાકરન

ન્યાયમૂર્તિ કિરુબાકરને જણાવ્યુ હતુ કે, સુપ્રીમ કોર્ટ માત્ર દિલ્હી (Delhi) અને આસપાસના વિસ્તારના લોકો માટે જ નથી. દેશના ઉત્તરમાં આવેલુ જમ્મુ કશ્મીરથી લઈને દક્ષિણમાં તમિલનાડુ અને પશ્વિમમાં ગુજરાતથી લઈને પુર્વમાં આવેલા મણિપુરના લોકો માટે સુપ્રીમ કોર્ટ છે. ન્યાય  મેળવવાના અધિકાર માટે ક્ષેત્રિય સુપ્રીમ કોર્ટની બેન્ચે લાંબા સમયથી ચાલી રહેલી માગ પર અવલોકન કર્યુ હતુંં. ઉપરાંત દેશના વિવિધ હિસ્સામાં ક્ષેત્રીય પીઠોનું ગઠન કરવા કેન્દ્ર સરકારના વિવિધ પ્રયાસોને સુપ્રીમ કોર્ટ (Supreme Court) નિરથર્ક ગણાવ્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વધુ સંખ્યામાં ન્યાયધીશોની નિમણૂક કરવી જોઈએ

આ સાથે તેમણે કેન્દ્ર સરકારને ભારતના વિવિધ કાયદા પંચ અને સંસદીય બાબતોની સમિતિઓની (Committee on Parliamentary Affairs) ભલામણ મુજબ સુપ્રીમ કોર્ટની પ્રાદેશિક ખંડપીઠની સ્થાપના કરવા માટે નિર્દેશ કર્યો છે. જસ્ટિસ કિરૂબાકરન અનુસાર સુપ્રીમ કોર્ટના 34 જજો પૂરતા નથી અને વધુ સંખ્યામાં જજોની નિમણૂક કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ કિરૂબાકરનની નિવૃત્તિના એક દિવસ પહેલા આદેશમાં આ અવલોકનો કરવામાં આવ્યુ હતું.

ન્યાયમુર્તિ કિરૂબાકરન અને પોંગિયપ્પનની ખંડપીઠ દ્વારા અરજીની સુનાવણી 

તમને જણાવી દઈએ કે, કાર્તિક રંગનાથ દ્વારા એક પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, કાઉન્સિલ ઓફ તમિલનાડુ અને પોંડીચેરી, ચેન્નઈ (Chennai) દ્વારા કરવામાં આવેલા આદેશ વિરુધ્ધ અપીલ કરવા માટે તે દિલ્હીમાં આવેલા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનો સંપર્ક કરવા માટે અસમર્થ છે. ત્યારે આ અરજીની (Petition) સુનાવણી કરતા ન્યાયમુર્તિ કિરૂબાકરન અને પોંગિયપ્પનની ખંડપીઠ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી.

આ સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ કિરુબાકરને અરજદાર દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ફરિયાદ સાથે સહમતી દર્શાવી હતી કે પ્રાદેશિક બેંચની સ્થાપના ન થવાને કારણે ન્યાય મળવામાં વિલંબ થયો.

આ પણ વાંચો: Afghanistan Crises: અજિત ડોભાલને મળશે રશિયાના NSA નિકોલે પેત્રુશેવ, અફઘાનિસ્તાન મુદ્દે થશે ચર્ચા

આ પણ વાંચો: RBI Tokenization Rules : શું તમે CREDIT અથવા DEBIT CARD થી પેમેન્ટ કરો છો ? 1 જાન્યુઆરીથી કાર્ડની ચુકવણીની પદ્ધતિ બદલાશે, જાણો નવા નિયમ

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">