રાફેલ પર મોદી સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે તમામ પુન:વિચાર અરજીઓ રદ કરી

|

Nov 14, 2019 | 6:25 AM

સુપ્રીમ કોર્ટ તરફથી રાફેલ વિમાન સોદામાં મોદી સરકારને મોટી રાહત મળી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે રાફેલ સોદા મામલે દાખલ કરવામાં આવેલી તમામ પુન:વિચાર અરજીઓને રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે નિર્ણય આપતા અરજીકર્તાઓ દ્વારા સોદાની પ્રક્રિયામાં ગડબડની દલીલો રદ કરી છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં […]

રાફેલ પર મોદી સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે તમામ પુન:વિચાર અરજીઓ રદ કરી

Follow us on

સુપ્રીમ કોર્ટ તરફથી રાફેલ વિમાન સોદામાં મોદી સરકારને મોટી રાહત મળી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે રાફેલ સોદા મામલે દાખલ કરવામાં આવેલી તમામ પુન:વિચાર અરજીઓને રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે નિર્ણય આપતા અરજીકર્તાઓ દ્વારા સોદાની પ્રક્રિયામાં ગડબડની દલીલો રદ કરી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને લાગતુ નથી કે આ મામલે કોઈ FIR દાખલ થવી જોઈએ કે પછી કોઈ પ્રકારની તપાસ કરવામાં આવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે એ વાતને નજરઅંદાજ નથી કરી શકતા કે આ મામલે એક કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા સોંગદનામામાં થયેલી ભૂલનો સ્વીકાર કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાફેલ વિમાન સોદા મામલે સુપ્રીમ કોર્ટના 2018ના આદેશ પર વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ સહિત અન્ય લોકો તરફથી પુન:વિચાર અરજી દાખલ કરી હતી. આ મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કે.એમ.જોસેફની ખંડપીઠે નિર્ણય આપ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોર્ટમાં દાખલ અરજીમાં સોદામાં ભ્રષ્ટચારના આરોપ લગાવ્યા હતા. ‘લીક’ દસ્તાવેજોના આરોપ લગાવ્યા હતા કે સોદામાં PMOએ રક્ષા મંત્રાલયને વિશ્વાસમાં લીધા વગર પોતાની રીતે વાતચીત કરી હતી. કોર્ટમાં વિમાન ડીલની કિંમતને લઈને પણ અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તેમના છેલ્લા નિર્ણયમાં કહ્યું હતું કે યોગ્ય પુરાવા વગર તે રક્ષા સોદામાં કોઈ પણ હસ્તક્ષેપ નહીં કરે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટની 5 જ્જની ખંડપીઠે સબરીમાલા કેસ મામલે દાખલ પુન:વિચાર અરજીઓને મોટી ખંડપીઠની પાસે મોકલી

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:25 am, Thu, 14 November 19

Next Article