કોરોનાકાળમાં યુનિવર્સિટીના છેલ્લા વર્ષની પરીક્ષા યોજવા સામે દાખલ કરેલ અરજી અંગે સુપ્રિમકોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર પાસે પરીક્ષા રદ કરવાનો અધિકાર છે. પરંતુ પરીક્ષા વિના વિદ્યાર્થીઓને પાસ ના કરાય. સુપ્રિમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો છે. યુજીસીએ પરીક્ષા અંગે જાહેર કરેલ માર્ગદર્શીકા બાબતે સુપ્રિમકોર્ટે કહ્યું કે, રાજય સરકાર પાસે પરીક્ષા રદ કરવાનો અધિકાર ખરો પરંતુ પરીક્ષા વીના વિદ્યાર્થીને પાસ ના કરી શકાય.
કોરોનાની મહામમારીને ધ્યાને રાખીને તેમજ એપેડેમિક એક્ટના કારણે પરીક્ષા મૌકુફ રાખી શકાય. પરીક્ષાની નવી તારીખ નક્કી કરવા યુજીસીની મદદ અને સલાહ લઈ શકાય. ન્યાયયમૂર્તિ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમ આર શાહની ખંડપીઠે ચૂકાદો આપતા કહ્યું કે આ વિદ્યાર્થીઓના ભવિષ્યનો મુદ્દો છે. તેની સાથેસાથે દેશમાં ઉચ્ચ શિક્ષણ માટેના માપદંડ જાળવી રાખવાની પણ જવાબદારી છે.
રાજ્ય સરકાર અને યુનિવર્સિટી 30 સપ્ટેમ્બર સુધીમાં છેલ્લા વર્ષની પરીક્ષાનું આયોજન કર્યા વિના વિદ્યાર્થીઓને ઉતિર્ણ જાહેર ના કરે. જે રાજ્ય 30 સપ્ટેમ્બર સુધીમાં છેલ્લા વર્ષની પરીક્ષા યોજી શકે તેમ ના હોય તેવા રાજ્યોએ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને જાણ કરે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં પત્તાના મહેલની માફક તુટી પડેલ ઈમારતના CCTV આવ્યા સામે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 6:49 am, Fri, 28 August 20