AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jahangirpuri Violence: હિંસાની એક રાત પહેલા લાકડીઓ એકઠી કરવામાં આવી હતી, CCTV ફૂટેજમાં થયો ખુલાસો

દિલ્હી (Delhi) હિંસાની તપાસ કરી રહેલી પોલીસના હાથમાં એક મહત્વપૂર્ણ માહિતી મળી છે. પોલીસના હાથમાં સીસીટીવી ફૂટેજ આવ્યા બાદ હવે એવી આશંકા છે કે હિંસા પાછળ કોઈ મોટું કાવતરું હોઈ શકે છે.

Jahangirpuri Violence: હિંસાની એક રાત પહેલા લાકડીઓ એકઠી કરવામાં આવી હતી, CCTV ફૂટેજમાં થયો ખુલાસો
Jahangirpuri Violence (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 10:34 PM
Share

દિલ્હીમાં (Delhi) જહાંગીરપુરી હિંસાની એક રાત પહેલા લાકડીઓ એકઠી કરવામાં આવી હતી. એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે 15 એપ્રિલની રાત્રે લગભગ 2.11 વાગ્યાના છે. ફૂટેજમાં કેટલાક લોકો હુમલા માટે લાકડીઓ એકત્રિત કરતા સ્પષ્ટ દેખાયા હતા. આ ફૂટેજ બાદ જ પોલીસે ષડયંત્રના એંગલથી તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારે આમાંથી કેટલાક લોકો લાકડીઓ એકઠી કરી રહ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ પણ તેનો વિરોધ કર્યો હતો. જે બાદ નજીવી અથડામણ પણ થઈ હતી. હવે દિલ્હી પોલીસ (Delhi Police) સ્થાનિક લોકોના નિવેદનો રેકોર્ડ કરશે, જેથી કેસને કોર્ટમાં મજબૂતીથી રાખી શકાય.

જોકે, પોલીસે કહ્યું છે કે અમે આ વીડિયોની પણ તપાસ કરી રહ્યા છીએ. તેમજ આ વીડિયોમાં લોકોને માર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં થયેલા રમખાણોમાં છ પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોમાં દિલ્હી પોલીસના એક સબ ઈન્સ્પેક્ટર પણ સમાવેશ થાય છે. દિલ્હી પોલીસના સબ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે ભીડમાંથી ગોળી ચલાવવામાં આવી હતી જે તેમને વાગી હતી. તેમણે કહ્યું કે બંને બાજુથી એક-એક હજાર લોકોની ભીડ હતી અને બંને તરફથી પથ્થરમારો થયો હતો.

સ્થાનિકો અને બહારના લોકોએ દેશ અને વડાપ્રધાનની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો

બ્રિટિશ વડાપ્રધાન ભારત આવી રહ્યા છે, તેથી કેટલાક સ્થાનિકો તેમજ કેટલાક બહારના લોકોએ દેશ અને વડાપ્રધાનની છબીને બગાડવાનો પ્રયાસ કર્યો, હંસ રાજ હંસે પત્રકારોને જણાવ્યું હતું. વડાપ્રધાન ભારતને વિશ્વનો નંબર વન દેશ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. તેઓ એક આંતરરાષ્ટ્રીય હસ્તી બની ગયા છે. જે લોકો દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરે છે તેઓ શાંતિ અને સૌહાર્દ માટે ખતરો છે અને આ વખતે તેમને બક્ષવામાં આવશે નહીં.

અસ્થાના સાથેની તેમની બેઠકમાં ભાજપના નેતાઓએ જહાંગીરપુરી હિંસાને નિયંત્રિત કરવામાં પોલીસની ભૂમિકાની પ્રશંસા કરી અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગ કરી. ગુપ્તાએ કહ્યું કે તેમણે પોલીસ કમિશનરને આ કેસમાં મુખ્ય આરોપી આમ આદમી પાર્ટીનો કાર્યકર છે કે કેમ તેની તપાસ કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે તેમણે તમામ આરોપીઓના ગેરકાયદેસર ધંધા અને ગુનાહિત પૃષ્ઠભૂમિની તપાસ કરવાની પણ વિનંતી કરી છે.

આ પણ વાંચો: ખેડૂતોને સરળતાથી ખાતર અને બિયારણ ઉપલબ્ધ કરાવવા રાજ્યો કેન્દ્ર સાથે મળીને કામ કરે: કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર

આ પણ વાંચો: ‘સમુદ્રની સફાઇની દિશામાં મોટું પગલું’, ભારતીય તટરક્ષક દ્વારા NATPOLREX-VIII એક્સરસાઈઝનું આયોજન, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓની હાજરી

g clip-path="url(#clip0_868_265)">