એરપોર્ટ પર લેન્ડિંગ વખતે વાવાઝોડામાં ફસાયું સ્પાઈસજેટનું વિમાન, 40 મુસાફરો થયા ઘાયલ, જુઓ VIDEO

સ્પાઈસ જેટના પેસેન્જર પ્લેને (Spicejet plane) રવિવારે મુંબઈથી પશ્ચિમ બંગાળના દુર્ગાપુર માટે ઉડાન ભરી હતી. પ્લેન એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું ત્યારે ખરાબ હવામાનના કારણે વાવાઝોડામાં ફસાઈ ગયું હતું.

એરપોર્ટ પર લેન્ડિંગ વખતે વાવાઝોડામાં ફસાયું સ્પાઈસજેટનું વિમાન, 40 મુસાફરો થયા ઘાયલ, જુઓ VIDEO
ફાઈલ ફોટોImage Credit source: Image Credit Source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 1:10 PM

સ્પાઈસ જેટના પેસેન્જર પ્લેને (Spicejet plane) રવિવારે મુંબઈથી પશ્ચિમ બંગાળના (West bengal ) દુર્ગાપુર માટે ઉડાન ભરી હતી. વિમાન દુર્ગાપુરના એંદલમાં કાઝી નઝરુલ ઈસ્લામ એરપોર્ટ પણ પહોંચ્યું હતું. આ પેસેન્જર પ્લેન એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું ત્યારે ખરાબ હવામાનના કારણે વાવાઝોડામાં ફસાઈ ગયું હતું. પાયલોટ વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં સફળ રહ્યા હતા. મળતી માહિતી મુજબ, આ પ્લેન એરપોર્ટ પર ઉતરતા પહેલા કાલ બૈસાખી વાવાઝોડામાં ફસાઈ ગયું હતું. લેન્ડિંગ પહેલા તોફાનમાં ફસાયેલ પ્લેન ક્ષણભર માટે હવામાં અટકી ગયું હતું. પ્લેન વાવાઝોડામાં ફસાઈ ગયા બાદ તેની કેબિનનો સામાન પડવા લાગ્યો અને તેના કારણે તેમાં સવાર 40 મુસાફરો ઘાયલ થયા. સ્પાઈસ જેટે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

જણાવવામાં આવી રહ્યું છે કે સ્પાઈસ જેટના બોઈંગ 737 એરક્રાફ્ટે મુંબઈથી દુર્ગાપુરના અંદાલ સ્થિત કાઝી નઝરુલ ઈસ્લામ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. આ પેસેન્જર પ્લેન એરપોર્ટ પર ઉતરતા પહેલા જ કાલ બૈસાખી વાવાઝોડામાં ફસાઈ ગયું હતું. પ્લેનની કેબિનમાં રાખેલો સામાન પડી જતાં 40 મુસાફરો ઘાયલ થયા હતા. વિમાનના સુરક્ષિત લેન્ડિંગ બાદ તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની રાણીગંજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં 10ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અન્ય 30 ઘાયલોની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ આ દુર્ઘટના પર ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.

સ્પાઈસજેટના પ્રવક્તાએ પણ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, ફ્લાઈટ નંબર SG-945 મુંબઈથી દુર્ગાપુર જઈ રહી હતી. વાવાઝોડામાં ફ્લાઈટ ફસાઈ ગઈ હતી, જેના કારણે કેટલાક મુસાફરોને ઈજા થઈ. સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું છે કે, ફ્લાઇટ દુર્ગાપુર પહોંચતાની સાથે જ તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી. અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કરતાં સ્પાઈસજેટ પ્રવક્તાએ કહ્યું કે, અમે ઘાયલોને તમામ શક્ય તબીબી સહાય પૂરી પાડી રહ્યા છીએ. તમામ ઘાયલોની સારવાર રાનીગંજની હોસ્પિટલમાં ચાલી રહી છે. ગંભીર રીતે ઘવાયેલા મુસાફરોને તબીબોએ પ્રાથમિક સારવાર બાદ એંધલ ખાતે રીફર કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માતમાં ઘાયલ થયેલા લગભગ તમામ મુસાફરોને માથામાં ઈજા થઈ છે.

આ દુર્ઘટના વિશે કહેવામાં આવી રહ્યું હતું કે, વાવાઝોડામાં ફસાયા બાદ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. બાદમાં અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે, પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું નથી. આ એરક્રાફ્ટનું લેન્ડિંગ દુર્ગાપુરના જ એંદલમાં સ્થિત કાઝી નઝરુલ ઇસ્લામ એરપોર્ટ પર થવાનું હતું. આ પ્લેન લેન્ડિંગ પહેલા કાલ બૈસાખી વાવાઝોડામાં ફસાઈ ગયું હતું.

આ પણ વાંચો: Surat: સચિનમાં 5 વર્ષની બાળકી પર બળાત્કાર કેસમાં આરોપીને મરે ત્યાં સુધી કેદની સજા

આ પણ વાંચો: ગુજરાતમાં AAP અને BTP ગઠબંધનને પગલે આદિવાસી સંકલ્પ મહાસંમેલનનું આયોજન, કેજરીવાલની હાજરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">