દિલ્હી હિંસા મામલે કોંગ્રેસનું એક પ્રતિનિધ મંડળ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યું. આ પ્રતિનિધ મંડળમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, આનંદ શર્મા, રણદીપ સુરેજવાલા સહિત ઘણા નેતા સામેલ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કોંગ્રેસ તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું. રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત પછી સોનિયા ગાંધીએ કહ્યું કે ગૃહપ્રધાન અને પોલીસ હિંસા રોકવા માટે નિષ્ફળ રહી. દિલ્હી અને કેન્દ્ર સરકારે હિંસાની અવગણના કરી.
હિંસાના કારણે અત્યાર સુધી 34 લોકોના મોત થયા છે. 200થી વધારે લોકો ઘાયલ થયા છે. આ આવેદનપત્રમાં હિંસાના આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગની સાથે પીડિતોને મદદ પુરી પાડવાની માંગ કરવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ‘બીમાર ગુજરાત’ સરકારે વિધાનસભામાં જાહેર કર્યા બિમારીના ચોંકાવનારા આંકડાઓ