AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમ્મુના સિદરા વિસ્તારના એક ઘરમાંથી છ મૃતદેહ મળી આવતા સનસનાટી, મૃત્યુ પામનારાઓમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ

જમ્મુના (Jammu) સિદરા વિસ્તારમાં એક જ પરિવારના છ સભ્યો તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. માહિતી મળતા જ પોલીસ (J K Police) ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે.

જમ્મુના સિદરા વિસ્તારના એક ઘરમાંથી છ મૃતદેહ મળી આવતા સનસનાટી, મૃત્યુ પામનારાઓમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ
Six members of a family found dead at their residence in Sidra area of Jammu
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 11:23 AM
Share

જમ્મુ પોલીસે (J K Police) જણાવ્યું હતું કે બુધવારે અહીં તેમના ઘરે એક પરિવારના છ સભ્યો શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ સકીના બેગમ, તેની બે પુત્રીઓ નસીમા અખ્તર અને રૂબીના બાનો, પુત્ર ઝફર સલીમ અને બે સંબંધીઓ હબીબુલ્લાહના પુત્ર નૂર-ઉલ-હબીબ અને ફારૂકના પુત્ર સજ્જાદ અહેમદ તરીકે થઈ છે. સિદરા (Sidra) વિસ્તારમાં એક ઘરમાંથી બે મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે બીજા ઘરમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે મૃતદેહોને અહીંની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસની ટીમો વિસ્તારમાં પહોંચી ગઈ છે. તપાસ શરૂ કરવામાં આવી છે.

મૃત્યુનું કારણ હજુ જાણી શકાયું નથી. પોસ્ટમોર્ટમ બાદ તમામ બાબતો સ્પષ્ટ થશે.

જમ્મુમાં એક જ પરિવારના છ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ વાતની પુષ્ટિ કરતા પોલીસે જણાવ્યું હતું કે બુધવારે તમામ તેમના નિવાસસ્થાને શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, જમ્મુ શહેરની બહારના સિદરા વિસ્તારમાં તવી વિહારમાંથી મળી આવેલા છ મૃતદેહોમાંથી બે વ્યક્તિઓના મૃતદેહ એક ઘરમાં અને ચાર વ્યક્તિઓના મૃતદેહ બીજા ઘરમાંથી મળી આવ્યા હતા. મૃત્યુનું કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસે છ વ્યક્તિઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. CrPCની કલમ 174 હેઠળ તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મૃતકોની ઓળખ ગુલામ હસનની વિધવા સકીના બેગમ, તેમની બે પુત્રીઓ નસીમા અખ્તર અને રૂબીના બાનો, પુત્ર ઝફર સલીમ અને બે સંબંધીઓ નૂર-ઉલ-હબીબ અને સજ્જાદ અહેમદ તરીકે થઈ છે. પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કેસની તપાસ ચાલુ છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">