કોરોના વાઈરસની વચ્ચે લગભગ 2 મહિના સુધી બંધ રહ્યા બાદ આજથી દેશમાં શોપિંગ મોલ, ધાર્મિક સ્થળ, હોટલ અને રેસ્ટોરન્ટ ફરીથી ખુલવા જઈ રહ્યા છે. તેના માટે નવા નિયમો હેઠળ પ્રવેશ માટે ટોકન જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે મંદિરોમાં પ્રસાદ વગેરેનું વિતરણ કરવામાં આવશે નહીં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ધાર્મિક સ્થળો માટે કેન્દ્રની ગાઈડલાઈન
કેન્દ્ર સરકારે તેને લઈ ગાઈડલાઈન જાહેર કરી હતી. આ ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સ્થિત ધાર્મિક સંસ્થાઓ બંધ રહેશે. ધાર્મિક સંસ્થાઓને લઈ જાહેર કરેલી ગાઈડલાઈન નીચે મુજબ છે.
1. કન્ટેન્ટમેન્ટ ઝોનની અંદર સ્થિત ધાર્મિક સ્થળ હાલમાં બંધ રહેશે. જ્યારે તેની બહારના ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી છે.
2. આ પરિસરોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે.
3. ધાર્મિક સ્થળો પર રેકોર્ડેડ ભક્તિ સંગતી વગાડી શકાય છે પણ સંક્રમણના ખતરાથી બચવા માટે સમૂહમાં ગાવાની મંજૂરી નથી.
4. ધર્મસ્થળો પર પ્રસાદ જેવી ભેટ ચઢાવવામાં આવશે નહીં.
5. તમામ ધર્મસ્થળોના પ્રવેશદ્વાર પર હેન્ડ સેનિટાઈઝર અને થર્મલ સ્ક્રીનિંગ સુનિશ્ચિત કરવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
6. ધર્મસ્થળો પર પ્રતિમાઓ અને ધાર્મિક પુસ્તકોને અડવાની પરવાનગી નથી.
7. ધર્મસ્થળોની અંદર કે બહાર સ્થિત દુકાનો, સ્ટોલોમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું જરૂરી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 3:25 am, Mon, 8 June 20