AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર અને રાજસ્થાનમા અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 8ના મોત, શનિવારે ફર્યુ યમરાજાનું કાળચક્ર

રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં શનિવારે અલગ-અલગ અકસ્માતમાં 8ના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનના દૌસા જિલ્લામાં એમ્બ્યુલન્સ અને ટ્રક સામસામે અથડાયા હતા. આ ઘટનામાં ચાર લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

મહારાષ્ટ્ર અને રાજસ્થાનમા અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 8ના મોત, શનિવારે ફર્યુ યમરાજાનું કાળચક્ર
Road Accident
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 6:30 PM
Share

રાજસ્થાન(Rajasthan)ના દૌસા જિલ્લામાં એમ્બ્યુલન્સ અને ટ્રક સામસામે અથડાયા(Accident) હતા, જેમાં 4ના મોત થયા હતા. બીજી તરફ મહારાષ્ટ્ર(Maharashtra)ના પુણે જિલ્લાના કાન્હે ગામ પાસે શનિવારે સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ એક મિની-પિકઅપ ટ્રકને ટક્કર મારી હતી. તે જ સમયે, ઝારખંડ(Jharkhand)ના પાકુરમાં બે વાહનો સામસામે અથડાયા હતા.

શનિવારનો દિવસ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ માટે અકસ્માતો સાથેનો રહ્યો. રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં શનિવારે અલગ-અલગ અકસ્માતમાં 8ના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનના દૌસા જિલ્લામાં એમ્બ્યુલન્સ અને ટ્રક સામસામે અથડાયા હતા. આ ઘટનામાં ચાર લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

મહારાષ્ટ્રમાં 4ના મોત, 23 ઇજાગ્રસ્ત તે જ સમયે મહારાષ્ટ્રના પુણે જિલ્લાના કાન્હે ગામ નજીક શનિવારે સવારે લગભગ 6 વાગ્યે એક મીની પીકઅપ અને ટ્રકની ટક્કર થઇ ગઈ. આ ઘટનામાં પગપાળા જઈ રહેલા ભગવાન વિઠ્ઠલના ચાર ભક્તોના મોત થયા હતા. તે જ સમયે, તેના 23 સાથીઓ ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે શ્રદ્ધાળુઓ પૂણે શહેરથી લગભગ 25 કિમી દૂર આવેલા મંદિરના નગર આલંદી જઈ રહ્યા હતા.

રાજસ્થાનમાં ચારના મોત એસએચઓ દારા સિંહે જણાવ્યું કે મૃતકોમાં દર્દી બલજીત (ઊં.28)નો સમાવેશ થાય છે, જેને તેના ભાઈ અને સંબંધીઓ અલવરથી જયપુર લઈ જઈ રહ્યા હતા. બાંડીકુઈથી અલવર જઈ રહ્યા હતા ત્યારે ટ્રકે એમ્બ્યુલન્સને કચડી નાખી હતી. જેમાં બલજીત, હિંમત, ભૂપ સિંહ અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર મહેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ભાગચંદ અને એમ્બ્યુલન્સ કર્મચારી નવદીપને ઈજા થઈ હતી.

ઝારખંડના પાકુરમાં બે વાહનો વચ્ચે સામસામે અથડામણ ઝારખંડના પાકુરના લિટ્ટીપારા પોલીસ સ્ટેશન વિસ્તારના કડવા ગામ પાસે વહેલી સવારે ટ્રક અને ડમ્પરની ટક્કર થઈ હતી. થોડી જ વારમાં બંને વાહનોમાં આગ લાગી હતી. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અભિષેક રાયે બંને વાહનોના ડ્રાઈવર અને સબ-ડ્રાઈવરના મોતની આશંકા વ્યક્ત કરી છે. પોલીસે જણાવ્યું હતું કે ટ્રકમાં સિમેન્ટ ભરેલું બંગાળ જઈ રહ્યું હતું અને ચિપ્સ ભરેલું ડમ્પર ગોડ્ડા જઈ રહ્યું હતું. ત્યારબાદ બંને સામસામે ટકરાયા.

આ પણ વાંચોઃ મુકેશ અંબાણીએ જામનગર ઓફીસ માટે મહાકાય વૃક્ષો મંગાવ્યા, વિડીયોમાં જુઓ કેવા દેખાય છે આ વૃક્ષો

આ પણ વાંચોઃ Surat : દક્ષિણ આફ્રીકામાં જોવા મળેલા નવા વેરિઅન્ટની કોઇ અસર સુરતના હીરા ઉદ્યોગ ઉપર નહીં પડે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">