ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છો. અને જો તમારે કોઈ રેલવેને લગતી ફરિયાદ નોંધાવી છે તો એ પણ મોંઘી પડવાની છે કેમ કે, રેલવેમાં હવેથી મદદ માટે પણ રૂપિયા ચૂકવવા પડશે. 139 હેલ્પલાઈન નંબર અત્યારે તો ફ્રી છે. પરંતુ પહેલી જાન્યુઆરી પછી ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. એક મિનિટના 5 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ જો તમામ ફોનમાં ચાર રૂપિયાનું જ બેલેન્સ છે તો પછી તમે 139 નંબર પર કોલ નહીં કરી શકો.
આ પણ વાંચોઃ 166 વર્ષમાં ભારતીય રેલવેએ પહેલીવાર રચ્યો આ ઈતિહાસ, જાણો 2019માં શું નવું થયું?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પહેલી જાન્યુઆરીથી નવી સુવિધા અમલી બની જશે. જેમાં એક હેલ્પલાઈન નંબર 139 અને 182 નંબર ચાલુ રહેશે. બાકીના તમામ હેલ્પ લાઈન નંબર બંધ થશે. સાથે એક “રેલમદદ” એપ શરૂ કરવામાં આવી છે. અને એપ ડાઉન કરીને પણ ફરિયાદ નોંધાવી શકાશે. જોકે પ્રવાસીઓને ફરિયાદ કરવી મોંઘી પડશે પરંતુ રેલવેને હેલ્પલાઈન પર મળતા ફેક કોલમાંથી છૂટકારો મળશે.