RJD અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)ની તબિયત અચાનક બગડી છે. તેમને દિલ્હી એઈમ્સ (AIIMS)ના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુરૂવારે લાલૂ પ્રસાદ યાદવ ટપના એરપોર્ટથી દિલ્હી માટે રવાના થયા હતા. આજે અચાનક તેમને એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.
ત્યારે હજુ સુધી એ જાણી શકાયુ નથી કે આરજેડી અધ્યક્ષને ઈમરજન્સી વિભાગમાં કેમ દાખલ કરવામાં આવ્યા છે. લાલુ યાદવ નાદુરસ્ત તબિયતના કારણે ગુરુવારે પટનાથી દિલ્હી જવા રવાના થયા હતા. આજે તેમને એઈમ્સમાંથી ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગુરૂવારે પટનાથી દિલ્હી રવાના થયા પહેલા લાલુ પ્રસાદ યાદવે બિહાર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. નીતિ આયોગના રિપોર્ટનો ઉલ્લેખ કરતા તેમણે નીતિશ સરકારને ઘેરી હતી. લાલુ યાદવે કહ્યું હતું કે બિહાર શિક્ષણથી લઈ સ્વાસ્થ્ય સુધીના ક્ષેત્રમાં પાછળ છે. આરજેડી અધ્યક્ષે નીતિશ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આ સરકાર વિકાસનો નારો આપે છે પણ નીતિ આયોગનો રિપોર્ટ આવ્યા બાદ તેમના વિકાસના દાવાની પોલ ખુલી ગઈ છે.
તમને જણાવી દઈએ કે લાલુ યાદવની તબિયત ઘણા સમયથી સારી નથી. આ કારણે જેલમાં હોવા છતાં તેમને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા રિમ્સમાં પણ તેની સારવાર ચાલી રહી હતી. જેલમાંથી જામીન મળ્યા બાદ પણ લાલુ યાદવ ખરાબ તબિયતના કારણે દિલ્હીમાં જ હતા. ઘણા મહિના બાદ તે પટના પહોંચ્યા હતા પણ ફરી એકવાર તે ગુરૂવારે દિલ્હી માટે રવાના થયા હતા. આ દરમિયાન તેમને બિહારની નીતિશ સરકારને ઘેરી હતી.
આ પણ વાંચો: Brahmastra: ચાહકોની આતુરતાનો આવશે અંત, આ દિવસે રિલીઝ થશે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ
આ પણ વાંચો: Surat : બુલેટ ટ્રેન રૂટની આસપાસના વિસ્તારોના વિકાસના આયોજન માટે જાપાન એમ્બેસીના કાઉન્સિલરે લીધી મુલાકાત