નિવૃત્ત IAS અધિકારી અને ભૂતપૂર્વ પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરની PM મોદીના સલાહકાર તરીકે નિયુક્તિ

કપૂર ઉપરાંત વરિષ્ઠ અધિકારી આતિશ ચંદ્રાને વડા પ્રધાન કાર્યાલયમાં વધારાના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચંદ્રા હાલમાં ભારતીય ખાદ્ય નિગમ, ખાદ્ય પુરવઠા અને જાહેર વિતરણ વિભાગમાં અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) છે.

નિવૃત્ત IAS અધિકારી અને ભૂતપૂર્વ પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરની PM મોદીના સલાહકાર તરીકે નિયુક્તિ
Image Credit Source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 7:28 PM

કર્મચારી મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂંક સમિતિએ તરુણ કપૂરને  (Tarun Kapoor) વડાપ્રધાનના (PM NARENDRA MODI) સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ભારત સરકારના સલાહકાર (PM Modi Advisor) તરીકે વડાપ્રધાન કાર્યાલયમાં (PMO) કામ કરશે.

નિવૃત્ત IAS અધિકારી અને ભૂતપૂર્વ પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કપૂર 1987 બેચના હિમાચલ પ્રદેશ કેડરના અધિકારી છે. તેઓ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં સચિવ પણ રહી ચૂક્યા છે. કપૂરને બે વર્ષ માટે પીએમના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

કેબિનેટની નિમણૂંક સમિતિ (એસીસી) એ અધિક સચિવના સ્તરે વડાપ્રધાન કાર્યાલયમાં અન્ય બે નિમણૂંકો સાથે કપૂરની નિમણૂંકને મંજૂરી આપી છે. તરૂણ કપૂર, ભૂતપૂર્વ પેટ્રોલિયમ સચિવ, 3 ફેબ્રુઆરીના રોજ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. કપૂર 30 નવેમ્બર 2021 ના ​​રોજ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ તરીકે નિવૃત્ત થયા.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

બે વર્ષ માટે નિમણૂંક

કર્મચારી મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિએ તરુણ કપૂરને વડાપ્રધાનના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ભારત સરકારના સલાહકાર તરીકે વડાપ્રધાન કાર્યાલયમાં કામ કરશે. તેમની નિમણૂક બે વર્ષની સમયમર્યાદા માટે કરવામાં આવી છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે કપૂર આગામી આદેશ સુધી પીએમના સલાહકાર રહેશે.

અધિક સચિવની પણ નિમણૂંક

કપૂર ઉપરાંત વરિષ્ઠ અધિકારી આતિશ ચંદ્રાને વડા પ્રધાન કાર્યાલયમાં વધારાના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચંદ્રા હાલમાં ભારતીય ખાદ્ય નિગમ, ખાદ્ય પુરવઠા અને જાહેર વિતરણ વિભાગમાં અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) છે. આતિશ ચંદ્રાની સાથે વરિષ્ઠ અધિકારી હરિ રંજન રાવને પણ પીએમઓ ઓફિસમાં એડિશનલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાવ મધ્ય પ્રદેશ કેડરના 1994 બેચના IAS અધિકારી છે. હાલમાં, તેઓ યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડના એડમિનિસ્ટ્રેટર તરીકે ટેલિકોમ વિભાગમાં કામ કરી રહ્યા છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">