26 જાન્યુઆરીની પરેડમાં તામિલનાડુની ઝાંખી ફસાઈ ગઈ ‘બ્લાઉઝ’ વિવાદમાં !

70મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વખતે ઘણુ બધુ પહેલી વાર થયું. હજી ગૌરવપૂર્ણ પરેડની ઘુમારી ઉતરી પણ નહોતી કે વિવાદો સામે આવવા લાગ્યા છે. આ વખતે પરેડમાં 16 રાજ્યોની ઝાંખીઓ જોવા મળી, પરંતુ તામિલનાડુની ઝાંખી પર વિવાદ થઈ ગયો છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, […]

26 જાન્યુઆરીની પરેડમાં તામિલનાડુની ઝાંખી ફસાઈ ગઈ ‘બ્લાઉઝ’ વિવાદમાં !
Follow Us:
| Updated on: Jan 27, 2019 | 11:44 AM

70મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વખતે ઘણુ બધુ પહેલી વાર થયું.

હજી ગૌરવપૂર્ણ પરેડની ઘુમારી ઉતરી પણ નહોતી કે વિવાદો સામે આવવા લાગ્યા છે. આ વખતે પરેડમાં 16 રાજ્યોની ઝાંખીઓ જોવા મળી, પરંતુ તામિલનાડુની ઝાંખી પર વિવાદ થઈ ગયો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

હકીકતમાં તામિલનાડુની ઝાંખીમાં મહિલાઓને બ્લાઉઝ વગર માત્ર સાડીમાં દર્શાવવામાં આવી હતી. મહાત્મા ગાંધીની મદુરૈ યાત્રાને દર્શાવતી આ ઝાંખીમાં મહિલાઓ બ્લાઉઝ વગર માત્ર સાડીમાં દેખાતી હતી.

હકીકતમાં મહાત્મા ગાંધીએ 1921માં મદુરૈ યાત્રા કરી હતી અને ત્યાર બાદ પૂર્ણ વસ્ત્રોનો ત્યાગ કરી માત્ર ધોતી પહેરવાનો નિર્ણય કર્યો હતો. ગાંધીજીએ આવું દેશની મહિલાઓની અત્યંત ગરીબાઈ ભરેલી દશા જોઈને કરી હતી.

ઝાંખીને લઈને થયેલા વિવાદ પર ઇયક્કા તમિઝર પેરાવઈના મહામંત્રી સુબા વીરાપાંડિયને કહ્યું કે મદુરૈ યાત્રા બાદ ગાંધીજીએ માત્ર એક ધોતી પહેરવાનો નિર્ણય કર્યો. આ ગાંધી અને તામિલનાડુ માટે મહત્વની ઘટના હતી, પણ 1921માં મહિલાઓ આ પ્રકારના કપડાં પહેરતી નહોતી, જેવું કે ઝાંખીમાં દર્શાવાયું છે. ત્રાવણકોરની મહિલાઓ આ પ્રકારનો પહેરવેશ પહેરતી હતી, પરંતુ મહિલાઓના બ્લાઉઝ પહેરવા પર પ્રતિબંધને 19મી શતાબ્દીમાં જ સમાપ્ત કરી દેવાયો હતો.

વીરાપાંડિયને કહ્યું કે આવું નહોતું થવુ જોઇતું. તે પણ ત્યારે કે જ્યારે રાજપથ પર દેશના ગૌરવને આખી દુનિયા જોઈ રહી હતી. અસંગઠિત મજૂર સંઘના સલાહકાર આર ગીતાએ પણ કહ્યું કે વગર બ્લાઉઝની મહિલાઓને દર્શાવવાથી બચી શકાતુ હતું.

દરમિયાન રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના એક અધિકારીએ કહ્યું કે ઝાંખીનો ઉદ્દેશ ગાંધીજીની 150મી જન્મ જયંતી પ્રસંગે તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓ દર્શાવવાનો હતો. અમને ઝાંખીથી સંબંધિત ઘણા કૉલ્સ મળ્યા છે. આ થીમ એટલા માટે પસંદ કરવામાં આવી, કારણ કે ઘણા બધા લોકોને ગાંધી અને તામિલનાડુના આ કનેક્શન વિશે જાણ નહીં હોય.

[yop_poll id=848]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">