અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઈ રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. બેઠકમાં શિલાન્યાસની તારીખ પર ચર્ચા થઈ. વડાપ્રધાન કાર્યાલયને ટ્રસ્ટ તરફથી 3 અને 5 ઓગસ્ટની તારીખ મોકલવામાં આવી છે. શિલાન્યાસની તારીખ પર આખરી નિર્ણય PMO કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ સિવાય બેઠકમાં મંદિરની ઉંચાઈ અને નિર્માણ વ્યવસ્થાઓ પર પણ ચર્ચા થઈ. આ બેઠક અયોધ્યા સર્કિટ હાઉસમાં બપોરે 3 વાગ્યે શરૂ થઈ, આ બેઠક લગભગ 2 કલાક 30 મિનિટ જેટલી ચાલી. ત્યારે ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે કહ્યું કે મંદિરનું નિર્માણ જાણીતા આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરા જ કરશે. તેમને જ સોમનાથ મંદિરને પણ બનાવ્યું છે.
મળતી માહિતી મુજબ બેઠકમાં સૌથી પહેલા મંદિર નિર્માણનું કામ શરૂ કરવા પર જોર આપવામાં આવ્યું છે. તે સિવાય પહેલા 3 શિખરનો પ્રસ્તાવ હતો, હવે 5 શિખરનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. સાથે જ તેની ઉંચાઈ 148 ફૂટથી વધીને 161 ફૂટ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 2:51 pm, Sat, 18 July 20