લોકડાઉનની વચ્ચે ફરી એક વખત દુરદર્શન પર રામાનંદ સાગરની રામાયણ પ્રસારિત કરવામાં આવી રહી છે. મોટી વાત એ છે કે આ વખતે પણ રામાયણને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. તાજેત્તરમાં જ બાર્ક (BARC)ની રિપોર્ટ મુજબ રામાયણે દૂરદર્શન પર TRPના નવા રેકોર્ડ બનાવ્યા છે.
80ના દાયકામાં જ્યારે રામાયણ TV પર આવી તો તેની સાથે જ ઘણી સ્પેશિયલ ઈફેક્ટસ પણ જોવા મળી હતી. જેમ કે હનુમાનજી દ્વારા સંજીવની બુટી લાવવી, પુષ્પક વિમાનનું ઉડવું વગેરે, પ્રેમ સાગરે જણાવ્યું કે જ્યારે રામાયણ દરમિયાન ખુબ જ જૂનિયર કલાકારોની જરૂરિયાત પડતી હતી, ત્યારે ગામે ગામે ફરી ઢોલ નગારાની સાથે જાહેરાત કરવામાં આવતી હતી અને કલાકારને લેવામાં આવતા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પ્રેમ સાગરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સ્પેશિયલ ઈફેક્ટસ વિશે જાણવા માટે તે ઓરિજિનલ કિંગ કોન્ગના નિર્માતાને હોલીવુડમાં મળીને આવ્યા હતા. સાથે જ ઘણી ચોપડીઓ વાંચીને રામાયણમાં આ ઈફેક્ટસ નાખવામાં આવી. રામાયણને વિશ્વભરમાં 65 કરોડથી વધારે લોકોએ ટીવી પર જોઈ હતી.
ત્યારે રામાયણ સાથે જોડાયેલી વાતો જણાવતા પ્રેમ સાગરે કહ્યું કે રામાયણનું શૂટિંગ સતત 550 દિવસથી વધારે ચાલ્યું હતું. જ્યારે રામાયણમાં રાવણનું મૃત્યુ થાય છે ત્યારે રાવણનું પાત્ર નિભાવનારા અરવિંદ ત્રિવેદીના ગામમાં શોક મનાવવામાં આવ્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: જામનગર: કોરોનાનો પ્રથમ પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું, સંપૂર્ણ વિસ્તારને ક્વોરન્ટાઈન કરાયો
Published On - 7:27 am, Mon, 6 April 20