AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શા માટે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, અને પ્રધાનમંત્રીએ એક સાથે ગાંધી સમાધી ‘રાજઘાટ’ પર જવાનું બંધ કર્યું, જાણો આ અહેવાલમાં

લગભગ 38 વર્ષ સુધી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી સવારે ગાંધી સમાધીમાં એક સાથે પહોંચી રહ્યા હતા. પરંતુ, હવે આવું થતું નથી. હવે રાજ ઘાટ પર પહોંચતા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન વચ્ચે સમયનું અંતર ચોક્કસપણે રાખવામાં આવે છે.

શા માટે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, અને પ્રધાનમંત્રીએ એક સાથે ગાંધી સમાધી 'રાજઘાટ' પર જવાનું બંધ કર્યું, જાણો આ અહેવાલમાં
ગાંધી સમાધિ 'રાજઘાટ'.
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 7:51 PM
Share

દેશ આજે મહાત્મા ગાંધી એટલે કે રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી (બાપુ)ની 152મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. 2 ઓક્ટોબર 1948થી (30 જાન્યુઆરી 1948ના રોજ બાપુની હત્યા થઈ ત્યારથી), આ પ્રસંગે દરેક વ્યક્તિ દિલ્હીના રાજઘાટ પર બાપુની સમાધી સ્થળે પહોંચીને બાપુને શ્રદ્ધાજંલી આપવા માંગે છે.

દર વર્ષે ખાસ મહેમાનોની મુલાકાત લેવાની પ્રક્રિયા સવારે 6.30થી શરૂ થાય છે. ખૂબ જ પ્રતિષ્ઠિત  લોકો દ્વારા બાપુની સમાધીને પુષ્પાંજલિ આપવાનો આ રાઉન્ડ બેથી ત્રણ કલાક પછી બંધ થવાનું શરૂ થાય છે. તે પછી સામાન્ય લોકોને રાજઘાટ પર ગાંધી સમાધિ સ્થળની મુલાકાત લેવાની મંજૂરી છે.

2 ઓક્ટોબર 1948થી શરૂ થયેલી આ પ્રથા લગભગ 38 વર્ષ (2 ઓક્ટોબર 1986) સુધી અવિરત ચાલુ રહી. અર્થાત કે, 2 ઓક્ટોબર, 1986 સુધી દર વર્ષે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને અન્ય મહાનુભાવો અહીં પૂર્વનિર્ધારિત કાર્યક્રમ હેઠળ પુષ્પાંજલિ અર્પણ કરવા આવતા હતા.

બાદમાં લગભગ 38 વર્ષ સુધી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી સવારે ગાંધી સમાધીમાં એક સાથે પહોંચી રહ્યા હતા. પરંતુ, હવે આવું થતું નથી. હવે રાજ ઘાટ પર પહોંચતા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન વચ્ચે સમયનું અંતર ચોક્કસપણે રાખવામાં આવે છે.

35 વર્ષ પહેલા પસાર થઈ હતી છેલ્લી તારીખ

હવે લગભગ 35 વર્ષ થઈ ગયા છે. ત્યારથી ભારતના કોઈ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ઉપરાષ્ટ્રપતિ એક સાથે રાજઘાટ પર ગાંધી સમાધી સ્થળ પર પહોંચ્યા નથી. હવે દેશની આ તમામ મહાસત્તાઓ, જેને મહાશક્તિઓ માનવામાં આવે છે, તે ગાંધી સમાધીની જુદા જુદા સમયે મુલાકાત લે છે.

અહીં છેલ્લી વખત ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ગિની ઝૈલ સિંહ, વડાપ્રધાન રાજીવ ગાંધી અને તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી સરદાર બુટા સિંહ ભેગા થયા હતા. તે તારીખ અને વર્ષ 2 ઓક્ટોબર 1986 હતું. જ્યારે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી છેલ્લી વખત રાજઘાટ પર ગાંધી સમાધિ સ્થળે પહોંચ્યા હતા.

કારણ ચોંકાવનારુ છે

આખરે આવું કેમ અને શા માટે? જેના કારણે અહિંસાના પૂજારી બાપુને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશની સૌથી મોટી શક્તિઓને એક સાથે અહીં (રાજઘાટ) આવવા જવા પર પ્રતિબંધિત કરવામાં આવ્યો અથવા જે પ્રથા 2 ઓક્ટોબર 1948થી શરૂ થઈ અને 2 ઓક્ટોબર 1986 સુધી ચાલી. પછી અચાનક 38 વર્ષ પછી તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.

38 વર્ષ બાદ આ ક્રમ તૂટી ગયો, આજે પણ 35 વર્ષ વીતી ગયા છે. આટલો લાંબો સમય વીતી ગયા પછી પણ દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને રાજઘાટ પર એક સાથે પહોંચવા પર પ્રતિબંધ અવિરત છે. તેના પર પ્રતિબંધ લાદવાનું કારણ આશ્ચર્યજનક છે. આ કારણની શરૂઆત આજથી લગભગ 35 વર્ષ પહેલા 2 ઓક્ટોબર, 1986થી થઈ હતી.

ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના ભૂતપૂર્વ અંગત સુરક્ષા અધિકારી દ્વિવેદી કહે છે કે, “આની પાછળનું મુખ્ય કારણ એ હતું કે એક સાથે દેશના ત્રણ સૌથી શક્તિશાળી હોદ્દા પર બેઠેલા અતિ વિશીષ્ટ વ્યક્તિઓની સુરક્ષાને અભેદ્ય બનાવી શકાય. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાનને એક જ સમયે એક જ સ્થળે લઈ જવા એ ભારતીય સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓની નજરમાં કોઈ પણ રીતે યોગ્ય નથી.

આ જ કારણ છે કે 2 ઓક્ટોબર, 1986ના રોજ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી પર થયેલા ખૂની હુમલા પછી દેશની સુરક્ષા-ગુપ્તચર એજન્સીઓએ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને ગાંધી સમાધી સ્થળે એટલે કે રાજઘાટ પર અલગ અલગ જુદા સમયે લઈ જવાનો નિયમ બનાવ્યો.

આજે 35 વર્ષ પછી પણ તે પરંપરા અવિરત ચાલુ છે, ત્યારથી આજ સુધી પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પર થયેલા તે જીવલેણ હુમલા જેવી ઘટના ફરી ક્યારેય પુનરાવર્તિત થઈ નથી. આ તમામ સાવચેતીના પગલાં સમયસર લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :  India Corona Update: દેશમાં કોરોનાના 24,354 નવા કેસ, માત્ર કેરળમાં જ 13,834 કેસ નોંધાયા

Follow Us
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
g clip-path="url(#clip0_868_265)">