AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Corona Update: દેશમાં કોરોનાના 24,354 નવા કેસ, માત્ર કેરળમાં જ 13,834 કેસ નોંધાયા

દેશમાં સક્રિય કેસોની સંખ્યા હાલમાં 2,73,889 છે, જે કુલ કેસોના 0.81 ટકા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.70 ટકા છે, જે છેલ્લા 33 દિવસથી 3 ટકાથી ઓછો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 1.68 ટકા છે.

India Corona Update: દેશમાં કોરોનાના 24,354 નવા કેસ, માત્ર કેરળમાં જ 13,834 કેસ નોંધાયા
Corona Cases
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 5:03 PM
Share

ભારતમાં કોરોનાના 24,354 નવા કેસ (Corona Cases) નોંધાયા છે, ત્યારબાદ સક્રિય કેસોની સંખ્યા વધીને 2.73 લાખ થઈ ગઈ છે. સક્રિય દર્દીઓનો આ આંકડો 197 દિવસમાં સૌથી ઓછો છે.

આરોગ્ય મંત્રાલયે માહિતી આપી કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 25,455 લોકો સાજા પણ થયા છે, ત્યારબાદ કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,30,68,599 થઈ ગઈ છે. ભારતમાં કુલ નોંધાયેલા કેસોમાં માત્ર કેરળમાં જ 13,834 કેસ નોંધાયા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા હાલમાં 2,73,889 છે, જે કુલ કેસોના 0.81 ટકા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.70 ટકા છે, જે છેલ્લા 33 દિવસથી 3 ટકાથી ઓછો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 1.68 ટકા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં દેશભરમાં 89.74 કરોડ કોરોના રસી ડોઝ આપવામાં આવ્યા છે.

મંત્રાલયે કહ્યું કે દેશમાં રિકવરી રેટ હવે 97.86 ટકા થઈ ગયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું કે ભારતમાં શુક્રવારે કોરોના વાયરસ માટે 14,29,258 નમૂના પરીક્ષણો કરાયા હતા, ત્યારબાદ દેશમાં નમૂના પરીક્ષણનો આંકડો વધીને 57,19,94,990 થયો છે.

દેશમાં કોરોના રસીકરણનો આંકડો 90 કરોડ

ભારતમાં કોરોના રસીકરણની સંખ્યા 90 કરોડનો આંકડો પાર કરી ગઈ છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે આ માહિતી આપી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ -19 રસીના 88.14 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે, 5.28 કરોડથી વધુ રસીના ડોઝ હજુ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ થયો નથી.

બાળકોની રસી આવવામાં વિલંબ થઈ શકે છે

બાળકો માટેની રસીમાં વિલંબ થઈ શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રસીની કિંમત અંગે સંબંધિત કંપની સાથે વાતચીત ચાલી રહી છે. આ કારણોસર, વિલંબ સાથે બાળકોને રસી આપવામાં આવશે. અગાઉ, મંત્રાલય તરફથી એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધીમાં બાળકોની રસી ઝાયકોવ-ડી આવશે અને બાળકોને પણ તે મળવાનું શરૂ થશે. ઝાયકોવ-ડી રસી ભારતીય ફાર્મા કંપની ઝાયડસ કેડિલા દ્વારા વિકસાવવામાં આવી છે. જેને ફાર્માજેટ સોય વગરની ટેકનોલોજીની મદદથી આપવામાં આવશે.

આ પણ વાંચો: પીએમ મોદીએ આપ્યો એવો જવાબ, આરોપ લગાવનારાઓની બોલતી થશે બંધ, કહ્યું – સખત પરિશ્રમ અને મહેનતથી બનાવ્યું છે વ્યક્તિત્વ

આ પણ વાંચો: Punjab : હરીશ રાવત પાસેથી જવાબદારી પરત લેવામાં આવી રહી છે ? પંજાબ કોંગ્રેસની ઉથલપાથલનો ઉકેલ શોધી શક્યા નથી, હવે આમને તક મળશે

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">