આ અભિનેતા પાસે લોકો 1200 કરોડ રુપિયા વસુલવાની કરી રહ્યા છે માંગ, જાણો શું છે સમગ્ર મામલો

|

Oct 14, 2024 | 2:26 PM

પાન-મસાલા ખાનારા લોકો રેલવે હોય કે પછી જાહેર માર્ગ જ્યાં ત્યાં થૂંકી દેતા હોય છે. એટલા માટે રેલવે માત્ર પાન -મસાલાના દાગ દુર કરવા માટે કરોડો રુપિયાનો ખર્ચો કરવો પડે છે. હવે આને લઈ લોકો પણ ગુસ્સે થયા છે. જાણો કોના પર છે ગુસ્સો

આ અભિનેતા પાસે લોકો 1200 કરોડ રુપિયા વસુલવાની કરી રહ્યા છે માંગ, જાણો શું છે સમગ્ર મામલો

Follow us on

જો આપણે આપણા ઘરેથી જ વાત કરીએ તો ઘરની બહાર નીકળતા તમે રસ્તા પર કે પછી ચાની દુકાન હોય બસ સ્ટેશન હોય રેલવે સ્ટેશન હોય કહી શકાય કે, રેલવે ,જાહેર મિલકતો,જાહેર માર્ગ પર પાન-મસાલા ખાનારાઓને થુંકતા તમે જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે, માત્ર ખાલી રેલવે જે પાન-મસાલાના ડાઘને દૂર કરવા કેટલો ખર્ચ કરે છે.ટ્રેનમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે.  રેલવે તો અપટેડ થઈ ચૂકી છે, પરંતુ જે લોકો પાન મસાલા ખાય થૂંકનારા પર કાબુ મેળવવામાં આવ્યો નથી.જેના કારણે રેલવે પાન-મસાલાના ડાઘને દૂર કરવા માટે 1200 કરોડથી વધારે ખર્ચો કરે છે.

 

Cashews : કાજૂ પોષક તત્ત્વોથી છે ભરપૂર, પરંતુ કેટલી માત્રામાં ખાવા તે નિષ્ણાંતો પાસેથી જાણો
ખાન સરની આ 6 બાબતો તમને અપાવી શકે છે મોટી સફળતા
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ જશે અંબાણીના MIની કેપ્ટન્સી !
સુરતમાં નવરાત્રીના છેલ્લા દિવસે કિંજલ દવે સ્ટેજ પર રડી પડ્યા, જુઓ Video
ગમે તેવી ઉધરસ હોય માત્ર એક દિવસમાં ગાયબ, જાણો કઈ રીતે
Liver Detox Tips : લિવર સાફ કરવા માટે મળી ગયો ગજબનો ઘરેલુ ઉપાય, જુઓ Video

 

સેલિબ્રિટીઓ પાન મસાલાની જાહેરાત

જેઓ મોઢામાં ગુટખા કે પાન લઈને ફરે છે અને જ્યાં મન થાય ત્યાં થૂંકતા હોય છે. આ મુસાફરો મુસાફરી પૂરી કરીને જતા રહે છે. પરંતુ તેઓ જે ગુટખાના ડાઘ છે તે ટ્રેન કે પછી રેલ્વે સ્ટેશન પર રહી જાય છે. રેલવે જાહેરાત દ્વારા પણ રેલવે સ્ટેશન કે પછી ટ્રેનમાં ન થુંકવાની સલાહ આપતા હોય છે. એક પછી પાન -મસાલા ખાવા માટેની જાહેરાત આપવામાં આવતી હોય છે. જેમાં બોલિવુડ સ્ટારને લાખો રુપિયામાં આપતા હોય છે. એક બાજુ જ્યાં રેલવે પાન-મસાલા ન થૂંકવાની જાહેરાત આપે છે ત્યાં બીજી બાજું સેલિબ્રિટીઓ પાન મસાલાની જાહેરાત કરી લોકોને પાન મસાલા ખાવા માટે પ્રેરિત કરે છે.

 

 

પાન-મસાલાના ડાઘ દૂર કરવા માટે કરોડો રુપિયા ખર્ચે

ત્યારે હવે આને લઈ લોકો પણ ગુસ્સે થયા છે. રેલવેને માત્ર પાન-મસાલાના ડાઘ દૂર કરવા માટે કરોડો રુપિયા ખર્ચે છે.ત્યારે લોકોનું કહેવું છે કે, આ બધો ખર્ચો પાન-મસાલાની જાહેરાત કરનાર સ્ટાર પાસેથી લેવો જોઈએ. વિમલની જાહેરાતમાં અક્ષય કુમાર, અજય દેવગન અને શાહરુખ ખાન જોવા મળતા હોય છે.ફિલ્મના સુપરસ્ટાર અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તે ફરીથી ક્યારેય એવી કોઈ પ્રોડક્ટની જાહેરાતમાં કામ કરશે નહીં જે લોકોને ખોટો સંદેશો આપે.

આજની લાઈફ સ્ટાઈલમાં યુવાનો માટે તમાકુનું સેવન એક ફેશન બની રહ્યું છે. પરંતુ તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તમાકુનું સતત સેવન (બીડી, સિગારેટ, ગુટખા વગેરે) શરીરના લગભગ દરેક અંગને નુકસાન પહોંચાડે છે તેમજ સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ પણ વધારે છે.

 

 

પાન મસાલાની જાહેરાતનો કરોડો રુપિયાનું બજેટ

તમને જણાવી દઈએ કે પાન મસાલા બ્રાન્ડનું એન્ડોર્સમેન્ટ લાંબા સમયથી ચર્ચામાં છે. આ મુદ્દો ત્યારે ઉભો થયો જ્યારે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર શાહરૂખ ખાન અને અજય દેવગન સાથે વિમલ પાન મસાલાની જાહેરાતમાં જોવા મળ્યા હતા. આ જાહેરાત સામે આવ્યા બાદ અક્ષય કુમાર ઘણો ટ્રોલ થયો હતો. જોકે, અક્ષયે હવે આ જાહેરાતથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.પાન મસાલા એડમાં મોટી સ્ટાર કાસ્ટ જોવા મળતી હોય છે. તેનું બજેટ 50 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુ હોઈ શકે છે, ત્યારે લોકો કહી રહ્યા છે મસમોટો ચાર્જ લઈ રહેલા અભિનેતાઓ પાસે આ ચાર્જ વસુલ કરવો જોઈએ.

Next Article