આ ખાસ 13 લાખ માતા-પિતાઓના સંતાનો હવે કરી શકે છે 33 વર્ષની ઉંમર સુધી મફત રેલવે મુસાફરી, શું આપ છો 13 લાખ માતા-પિતાઓમાંથી એક ?
લોકસભા ચૂંટણી 2019 પહેલા મોદી સરકારે સરકારી કર્મચારીઓને વધુ એક મોટી સોગાત આપી છે. મળતી માહિતી મુજબ હવે રેલવે કર્મચારીઓના 33 વર્ષ સુધીના બે સંતાનો મફત રેલવે મુસાફરી કરી શકશે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 […]
લોકસભા ચૂંટણી 2019 પહેલા મોદી સરકારે સરકારી કર્મચારીઓને વધુ એક મોટી સોગાત આપી છે.
મળતી માહિતી મુજબ હવે રેલવે કર્મચારીઓના 33 વર્ષ સુધીના બે સંતાનો મફત રેલવે મુસાફરી કરી શકશે.
આપને જણાવી દઇએ કે અત્યાર સુધી રેલવે કર્મચારીઓના 2 સંતાનોને ફ્રી યાત્રા પાસ આપવા માટેની વય મર્યાદા 21 વર્ષ હતી.
રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આ અંગેના આદેશો પણ જારી કરી દિધા છે. રેલવે પ્રધાને તમામ મંડલ રેલ પ્રબંધકોને પત્ર લખીને આ આદેશ આપ્યો છે.
રેલવે પ્રધાને ઑલ ઇંડિયા રેલવે મેન્સ ફેડરેશન સાથે બેઠક બાદ આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી.
નોંધનીય છે કે રેલવે કર્મચારીઓ આ વય મર્યાદા વધારવાની વર્ષોથી માંગણી કરી રહ્યા હતાં. રેલવે કર્મચારીઓનો તર્ક હતો કે તેમના સંતાનો 20 વર્ષના થયા બાદ જ વધુ યાત્રા કરે છે. તેથી ફ્રી પાસની વય મર્યાદા વધારવી જોઇએ.
રેલવે કર્મચારીઓનું કહેવું હતું કે 20 વર્ષની આયુ બાદ જ તેમના બાળકો બીજા શહેરો-રાજ્યોમાં અભ્યાસ માટે જાય છે.
નોંધનીય છે કે રેલવેની આ સ્કીમ તો દરેક રેલવે કર્મચારીના સંતાનો માટે છે, પરંતુ લગ્ન બાદ આ સ્કીમનો લાભ નથી મળતો. હા જેણે લગ્ન ન કર્યા હોય, તેઓ બેશક હવે 33 વર્ષ સુધી મફત રેલવે મુસાફરીનો લાભ મેળવી શકશે. તેમાં પણ એક શરત એ છે કે જો સંતાન સ્વાવલંબી એટલે કે કોઈ સરકારી નોકરી કરતું હોય, તો તેને પણ આ સ્કીમનો લાભ નથી મળતો.
[yop_poll id=804]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]