અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર રેલવેના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. રેલવેના ખાનગીકરણના વિવાદ બાદ નવો જ વિવાદ કર્મચારીઓએ ઉભો કર્યો છે. રેલવે વિભાગે અમદાવાદ શહિત 4 શહેરના કવાટર્સ રી-ડેવલોપમેન્ટ માટે આપ્યા છે. જો કે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં ન આવતા. કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે.
વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે આક્ષેપ કર્યો છે. કે રેલવે વિભાગ રિ-ડેવલોપમેન્ટના નામે કોલોની વેચી નાંખી છે અને તેનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. હાલ રેલવેના કર્મચારીઓએ રેલવે બોર્ડને આવેદનપત્ર આપી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માગ કરી છે અને આવનાર દિવસોમાં બોર્ડ દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહી આવે તો તેઓ ઉગ્ર વિરોધ કરી રાજ્ય વ્યાપી આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો