Railway Budget 2021: માલ પરિવહનની સુવિધા વધારવા ફ્યુચર રેડી રેલ્વે સિસ્ટમ બનાવાશે

|

Feb 01, 2021 | 12:22 PM

કેન્દ્રીય નાણા મંત્રી રેલ્વે બજેટની જાહેરાત કરી હતી. જેમાં રેલ્વેમાં માલ પરિવહનની સુવિધા વધારવા માટે ફ્યુચર રેડી રેલ્વે સિસ્ટમ બનાવવામાં આવશે. જેના લીધે લોજીસ્ટિક કોસ્ટ ઘટાડી શકાશે.

Railway Budget 2021: માલ પરિવહનની સુવિધા વધારવા ફ્યુચર રેડી રેલ્વે સિસ્ટમ બનાવાશે

Follow us on

કેન્દ્રીય નાણા મંત્રી રેલ્વે બજેટની જાહેરાત કરી હતી. જેમાં રેલ્વેમાં માલ પરિવહનની સુવિધા વધારવા માટે ફ્યુચર રેડી રેલ્વે સિસ્ટમ બનાવવામાં આવશે. જેના લીધે લોજીસ્ટિક કોસ્ટ ઘટાડી શકાશે. આ ઉપરાંત જૂન 2022 સુધી ઈસ્ટર્ન અને વેસ્ટર્ન કોરિડોર ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર તૈયાર કરવામાં આવશે.

 

1 રેલ્વેમાં નેશનલ રેલ યોજના 2030 સુધી બનાવવામાં આવશે.
2 ફ્યુચર રેડી રેલ્વે સિસ્ટમ બનાવવામાં આવશે, જેના લીધે લોજિસ્ટિક કોસ્ટ ઘટાડી શકાશે.
3 જૂન 2022 સુધી ઈસ્ટર્ન અને વેસ્ટર્ન કોરિડોર ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર તૈયાર કરવામાં આવશે.
4 સોમનગર-ગોમો સેકશન પીપીપી મોડ બનાવવામાં આવશે.
5 ગોમો- દમકૂની સેકશન પણ આ રીતે બનશે.
6 ખડગપૂરપ- વિજયવાડા સેક્શન પણ આધુનિક થશે.
7 ખડગપૂર- વિજયવાડા, ભુસાવલ – ખડગપૂર, ઈટારસી-વિજયવાડામાં ફ્યુચર રેડી કોરિડોર બનાવવામાં આવશે.
8 ડિસેમ્બર 2030 સુધી 100 બ્રોડગેજનું ઈલેકટ્રીફીકેશન થશે.
9 વિસ્ટા ડોમ કોચ શરૂ કરવામાં આવશે.
10 હાઈ ડેન્સિટી નેટવર્ક, હાઈ યુટિલિટી નેટવર્ક પર ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

કોરોનાકાળમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં તેમણે રેલ્વેના આધુનિકરણ માટે બજેટમાં નાણાની ફાળવણી કરી હતી. રેલ્વે મંત્રી નિર્મલા સીતારમણે રેલ્વે માટે 1, 10, 055 કરોડની ફાળવણી કરી છે. હાલ ભારતીય રેલ્વે  66,222  માલવાહક  અને 13,313  પેસેન્જર ટ્રેનો તેના નેટવર્ક પર 66,687 રૂટ કિલોમીટર્સ પર ટ્રેન ચલાવે  છે અને દર વર્ષે 1000 મિલિયન ટનથી વધુ માલસામાન વહન કરે છે. તેમજ  દરરોજ લગભગ 2 કરોડ 20 લાખ  મુસાફરોને પરિવહન કરાવે છે. રેલ્વે મંત્રાલયે રેલ્વે પ્રોજેક્ટ્સની ગતિ ઝડપી બનાવવા માટે નવી પહેલ કરી છે. ભારતીય રેલ્વે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કરી રહી છે. ભારતીય રેલ્વે આગામી 12 વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને દેશના સૌથી દૂરના ખૂણા સુધી પહોંચવા માટે ભાગીદારી, સંયુક્ત સાહસો અને સહયોગ દ્વારા 700 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

 

આ પણ વાંચો: Railway Budget 2021: બ્રોડગેજ રેલ્વેનું 2023 સુધી 100 ટકા વિદ્યુતીકરણ કરવામાં આવશે

Next Article