રાયબરેલીથી સાંસદ રહેશે રાહુલ ગાંધી, વાયનાડથી આપશે રાજીનામું, પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી

|

Jun 17, 2024 | 7:56 PM

સોનિયા ગાંધી પાંચ વખત રાયબરેલીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2019 સુધી રાયબરેલી સીટ સોનિયા ગાંધી પાસે રહી. સોનિયા ગાંધી પહેલા પણ રાયબરેલી બેઠક પર ગાંધી પરિવારનો દબદબો હતો. આ જ કારણ છે કે રાયબરેલીની બેઠકને ગાંધી પરિવારની પરંપરાગત બેઠક માનવામાં આવે છે.

રાયબરેલીથી સાંસદ રહેશે રાહુલ ગાંધી, વાયનાડથી આપશે રાજીનામું, પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી
Rahul Gandhi

Follow us on

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ સીટ છોડવાની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડ ઉપરાંત રાયબરેલીથી પણ ચૂંટણી લડ્યા હતા. તેમણે બંને બેઠકો પર જીત મેળવી છે. આવી સ્થિતિમાં હવે રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક પોતાની પાસે રાખી છે અને વાયનાડ છોડી દીધી છે. પાર્ટીએ નક્કી કર્યું છે કે પ્રિયંકા ગાંધી પહેલીવાર પેટાચૂંટણીમાં વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે.

રાહુલ ગાંધી 2019માં પહેલીવાર વાયનાડ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ જીત્યા પણ હતા. ત્યારબાદ અમેઠીમાં રાહુલ ગાંધીને બીજેપી નેતા સ્મૃતિ ઈરાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અમેઠીમાં હાર બાદ રાહુલ ગાંધી વાયનાડ સીટથી સાંસદ રહ્યા હતા. હવે 2024ની ચૂંટણીમાં રાહુલ ફરી એકવાર બે સીટો પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં એક સીટ વાયનાડ અને બીજી રાયબરેલી હતી. આ વખતે રાહુલ ગાંધી બંને બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા. રાહુલને વાયનાડ કરતા રાયબરેલીમાં મોટી જીત મળી છે.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

રાયબરેલી ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રહી છે

અગાઉ રાયબરેલી બેઠક કોંગ્રેસ પાસે હતી અને સોનિયા ગાંધી સાંસદ હતા. 2024ની ચૂંટણી પહેલા સોનિયા ગાંધી ચૂંટણીની રાજનીતિથી દૂર રહ્યા હતા અને રાજસ્થાનમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. સોનિયા ગાંધી પાંચ વખત રાયબરેલીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2019 સુધી રાયબરેલી સીટ સોનિયા ગાંધી પાસે રહી. સોનિયા ગાંધી પહેલા પણ રાયબરેલી બેઠક પર ગાંધી પરિવારનો દબદબો હતો. આ જ કારણ છે કે રાયબરેલીની બેઠકને ગાંધી પરિવારની પરંપરાગત બેઠક માનવામાં આવે છે.

Next Article