ફ્રાન્સના મેરિનેકથી 36 મીડિયમ મલ્ટી-રોલ રાફેલ ફાઈટર વિમાનોમાંથી 5 વિમાન હરિયાણાના અંબાલા સ્થિત એરબેઝ પર સુરક્ષિત રીતે લેન્ડ થયા. રાફેલના ભારત પહોંચવા પર પક્ષ-વિપક્ષની ઘણી બધી પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ રાફેલ પર પ્રશ્ન કર્યો છે.
Congratulations to IAF for Rafale.
Meanwhile, can GOI answer:
1) Why each aircraft costs ₹1670 Crores instead of ₹526 Crores?
2) Why 36 aircraft were bought instead of 126?
3) Why was bankrupt Anil given a ₹30,000 Crores contract instead of HAL?
— Rahul Gandhi (@RahulGandhi) July 29, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાહુલ ગાંધીએ રાફેલને લઈ ટ્વીટ કર્યુ છે. તેમને ટ્વીટમાં ભારતીય વાયુસેનાને રાફેલ મળવા પર અભિનંદન આપ્યા છે. તેની સાથે જ કેન્દ્ર સરકાર પાસે 3 સવાલોનો જવાબ પણ માગ્યા છે. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું કે 526 કરોડનું રાફેલ 1670 કરોડમાં કેમ ખરીદ્યુ?, અનિલ અંબાણીને 30 હજાર કરોડનો ઠેકો કેમ આપ્યો?, 126 જહાજના મુકાબલે 36 જ કેમ ખરીદવામાં આવ્યા?
ત્યારે રાહુલ ગાંધીએ સિવાય મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહે પણ રાફેલની ખરીદીને લઈ સવાલો ઉભા કર્યા છે. દિગ્વિજય સિંહનું કહેવું છે કે વડાપ્રધાને કેબિનેટની મંજૂરી વગર જ રાફેલ સોદામાં ફેરફાર કર્યા અને તેની કિંમત જણાવવામાં આવી રહી નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 5:57 pm, Wed, 29 July 20