Rahul Gandhi Go Back: લાલ ચોક પર લાગ્યા રાહુલ ગાંધી ગો બેકના નારા લાગ્યા, યુવાનોએ પ્રતિબંધની કરી માગ

|

Jan 21, 2023 | 1:36 PM

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કાશ્મીરમાં પ્રવેશી છે, તેની સાથે જ રાજકીય ગરમાવો પણ વધી ગયો છે. શુક્રવારે લાલ ચોક ખાતે યુવાનોએ રાહુલ ગાંધીની યાત્રાનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધી ગો બેકના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

Rahul Gandhi Go Back: લાલ ચોક પર લાગ્યા રાહુલ ગાંધી ગો બેકના નારા લાગ્યા, યુવાનોએ પ્રતિબંધની કરી માગ
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા (File)
Image Credit source: Twitter

Follow us on

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કાશ્મીરમાં પ્રવેશતાની સાથે જ વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયું છે. શુક્રવારે સ્થાનિક યુવાનોએ રાહુલ ગાંધી ગો બેકના નારા લગાવીને લાલ ચોકમાં યાત્રાનો વિરોધ કર્યો હતો. તેમણે પ્રશાસનને યાત્રા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. રાહુલની જમ્મુ મુલાકાતનો શુક્રવારે બીજો દિવસ હતો. યાત્રાનો સમાપન સમારોહ 30 જાન્યુઆરીએ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે.

નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી પણ ભારત જોડો યાત્રાને સમર્થન આપી રહી છે. નેશનલ કોન્ફરન્સ પ્રમુખ ડૉ. ફારૂક અબ્દુલ્લા ગુરુવારે ભારત જોડો યાત્રાનું સ્વાગત કરવા લખનપુર પહોંચ્યા હતા.

યુવાનોએ લગાવ્યા રાહુલ ગો બેકના નારા

શુક્રવારે સવારે સ્થાનિક યુવાનોનું ટોળું લાલચોકમાં ઘંટાઘર નીચે એકત્ર થયું હતું. તેમણે એક બેનર પકડ્યું હતું જેના પર રાહુલ ગાંધી ગો બેક લખેલું હતું. તેઓ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના વિરોધમાં પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. રાહુલ હાય-હાય અને રાહુલ ગાંધી ગો બેકના નારા લગાવતા યુવાનોએ સરઘસ કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં હાજર પોલીસકર્મીઓએ તેને મંજૂરી આપી ન હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

‘યાત્રા નહીં રાજનીતિક ડ્રામા’

લાલ ચોકમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનકારીઓમાં સામેલ એક યુવકે કહ્યું કે રાહુલની આ મુલાકાત માત્ર એક રાજકીય ડ્રામા છે. તે સામાન્ય ભારતીયો કે આપણા કાશ્મીરીઓ માટે નથી. કોંગ્રેસ સંપૂર્ણપણે ખતમ થઈ રહી છે. રાહુલ ગાંધી તેમને બચાવવા માટે જ યાત્રા કાઢી રહ્યા છે.

અન્ય એક વિરોધકરનારાએ કહ્યું કે રાહુલને તે સમયે યાત્રા કેમ યાદ ન આવી જ્યારે ચારેબાજુ આતંકવાદીઓનું શાસન હતું. નિર્દોષ લોકો મરતા હતા. કોંગ્રેસે કેન્દ્રમાં ઘણા વર્ષો સુધી શાસન કર્યું છે, આપણા રાજ્યમાં પણ કોંગ્રેસની સરકાર રહી છે. કોંગ્રેસે સ્થિતિ સુધારવા માટે કોઈ કામ કર્યું નથી. આ યાત્રા ત્યારે થવી જોઈતી હતી જ્યારે કલમ 370 હતી, હુર્રિયતના લોકો દરરોજ આઝાદીના નારા લગાવતા હતા. તે સમયે આ લોકો હુર્રિયતને ગળે મળતા હતા.

કાશ્મીરથી દૂર રાખો યાત્રા

વિરોધ કરતા એક યુવકે કહ્યું કે અમે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરીએ છીએ કે તેઓ રાહુલની રાજકીય મુલાકાતને કાશ્મીરથી દૂર રાખે. તે પ્રવાસની આડમાં રાજકીય ડ્રામા કરવા આવી રહ્યા છે, તેથી અમે ઈચ્છીએ છીએ કે તે કાશ્મીરથી દૂર રહે, તે સારું છે. કોંગ્રેસે ભારતને બે દેશોમાં વહેંચી દીધું છે. આજે ભારત જોડવાની વાત કરી રહ્યા છે.

Published On - 1:36 pm, Sat, 21 January 23

Next Article