BIG DECISION : પુલવામા આતંકી હુમલા બાદ ભારતનો પાકિસ્તાન પર પહેલો આર્થિક પ્રહાર, 23 વર્ષથી અપાયેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચ્યો

|

Feb 17, 2019 | 9:55 AM

પુલવામા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પર પહેલો વળતો પ્રહાર કરી દીધો છે. TV9 Gujarati   Web Stories View more ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી […]

BIG DECISION : પુલવામા આતંકી હુમલા બાદ ભારતનો પાકિસ્તાન પર પહેલો આર્થિક પ્રહાર, 23 વર્ષથી અપાયેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચ્યો

Follow us on

પુલવામા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પર પહેલો વળતો પ્રહાર કરી દીધો છે.

TV9 Gujarati

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ કમિટી ઑન સિક્યુરિટી (CCS)ની બેઠકમાં પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલા ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો.

બેઠક બાદ નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું કે ભારત સરકારે પાકિસ્તાને અપાયેલો મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પાછો ખેંચી લીધો છે. આ સાથે જ ભારત વિદેશ મંત્રાલય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાકિસ્તાનને અલગ-થલગ કરવા માટે તમામ સંભવિત પગલા ભરશે.

અરુણ જેટલીએ કહ્યું કે બેઠકમાં થયેલા તમામ નિર્ણયો બહાર જણાવાઈ નથી શકતાં. બેઠકમાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ અને જેટલી, સીઆરપીએફના ડીજી, રાષ્ટ્રીય સલામતી સલાહકાર (NSA) અજીત ડોવાલ, સેના પ્રમુખ બિપિન રાવત હાજર હતાં.

શું છે MFN ?

વિશ્વ વેપાર સંગઠન અને ઇંટરનેશનલ ટ્રેડ નિયમોના આધારે વેપારમાં સર્વાધિક મહત્વ ધરાવતા દેશને એમએફએનનો દરજ્જો આપવામાં આવે છે. એમએફએનનો દરજ્જો અપાતા દેશ આ વાતને લઈને આશ્વસ્ત રહે છે કે તેને વેપારમાં નુકસાન નહીં પહોંચાડવામાં આવે. ભારતે પાકિસ્તાનને 1996માં એમએફએનનો દરજ્જો આપ્યો હતો. એમએફએનના નિયમ મુજબ કોઈ પણ દેશ વિવિધ દેશો વચ્ચે વેપાર સંબંધી સમજૂતીઓમાં ભેદભાવ નથી કરી શકતો. જોકે પાકિસ્તાને ભારતને એમએફએનનો દરજ્જો નથી આપ્યે, પણ તેના સ્થાને ભારત સાથે Non-Discriminatory Market Access (NDMA) agreement સંધિ કરી છે. તેનું કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલા રાજકીય સંબંધો જણાવવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2.61 બિલિયન ડૉલરનો વેપાર થાય છે કે જેમાં સીમેંટ, શાકભાજી, ફળ, ખાંડ, મિનરલ, ફ્યુઅલ, મિનરલ ઑયલ તથા ઘણા પ્રકારની વસ્તુઓ સામેલ છે. જો પાકિસ્તાને પણ ભારતને એમએફએનનો દરજ્જો આપ્યો હોત, તો તેણે પણ ટ્રેંડ ટૅરિફ ઘટાડવા પડ્યા હોત.

[yop_poll id=1435]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:44 am, Fri, 15 February 19

Next Article